________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેવળી-સમુદ્રઘાત
પ્રશ્ન : ભોગવ્યા વિના કર્મોનો નાશ કેવી રીતે માની શકાય? કરેલાંબાંધેલાં કર્મ અવશ્ય ભોગવવા પડે, એવો સિદ્ધાન્ત નથી?
ઉત્તર : બાંધેલાં કર્મો જીવને ભોગવવાં જ પડે છે, પરન્તુ ભોગવવાની રીત એક જ નથી, જે તમે જાણો છો. બીજી પણ રીત છે. જે પ્રચલિત રીત છે તે રસોદયથી ભોગવવાની રીત છે. રિસોદયનું બીજું નામ “વિપાકોદય' પણ છે.) જેમ અશાતા-વદનીયનો ઉદય-વિપાક થયો...શરીરમાં તાવ ભરાણો...તે દુઃખ વેઠવું પડે...પરન્તુ કોઈ અશાતા-વેદનીય કર્મ એવી રીતે ઉદયમાં આવે અને આત્મા ભોગવે કે સુખ-દુઃખ વ્યક્તરૂપે ન અનુભવાય. તે ઉદયનું નામ છે પ્રદેશોદય'.
બધાં કમોં વિપાકોદયથી ન ભોગવી શકાય. જો એમ માનવામાં આવે કે બાંધેલાં કમ બધાં જ વિપાકોદયથી ભોગવીને કર્મોનો નાશ કરી શકાય, તો તે શક્ય જ ન બને! દરેક જીવ પોતાના અસંખ્ય જન્મોમાં...વિવિધ મનના પરિણામોથી-વિચારોથી નરક વગેરે ગતિઓનાં જે કર્મો બાંધ્યાં હોય, તે કર્મોનો મનુષ્યના જન્મમાં કેવી રીતે નાશ થઈ શકે?
તે તે કર્મો ભોગવવા તે તે ગતિમાં જવું પડે! તો જ વિપાકોદયથી ભોગવી શકાય! તે તે ગતિયોગ્ય કર્મોનો વિપાકોદય તે તે ગતિમાં જ થાય! આ રીતે આત્માનો મોક્ષ જ ન થાય! માટે પ્રદેશોદયથી ઘણાં કર્મો ભોગવીને નાશ કરી શકાય છે, એમ માનવું જ પડે.
औदारिकप्रयोक्ता प्रथमाष्टमसमययोरसाविष्टः। मिश्रौदारिकयोक्ता सप्तम-पष्ठ-द्वितीयेषु ।।२७६ ।।
कार्मणशरीरयोगी चतुर्थके पञ्चमे तृतीये च । समयत्रयेऽपि तस्मिन् भवत्यनाहारको नियमात् ।।२७७ ।। અર્થ : પહેલા અને આઠમા સમયમાં તે કેિવળજ્ઞાની"દારિયોગવાળો ઇષ્ટ છે [હોય છે. સાતમા, છઠ્ઠા અને બીજા સમયમાં તે મિશ્ર-દારિક યોગવાળો ઇષ્ટ છે હિોય છે.
ચોથા, પાંચમા અને ત્રીજા સમયે તે (કેવળજ્ઞાનીકે કામ કાયયોગવાળો હોય છે. અને આ ત્રણેય સમયમાં તે અવશ્ય અનાહારક હોય છે.
વિવેવન : વીર્યાન્તરાય કર્મના ક્ષયોપશમથી કે ક્ષયથી, તથા પુદ્ગલોના ૧૩૦, ‘યોગ' નું વિસ્તૃત વર્ણન જાણવા પરિશિષ્ટ જુઓ.
For Private And Personal Use Only