________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્લધ્યાન : પ્રચંડ આગ
सर्वेन्धनैकराशीकृतसन्दीप्तोद्यनन्तगुणतेजः । ध्यानानलस्तपःसंवरहविविवृद्धबलः ॥ २६४ ॥
અર્થ : સર્વે ઈન્ધનોનો ઢગલો કરી તેને સળગાવવામાં આવે ને તે જે રીતે બળે છે, તેના કરતાં અનાગુણ તેજ [શક્તિ વાળો ધ્યાનાગ્નિ હોય છે. કારણ કે તેમાં તપ, પ્રશમ અને સંવરનું થી નાંખવામાં આવ્યું હોય છે. તેનાથી ધ્યાનાનલની શક્તિ વૃદ્ધિ પામી હોય છે.
વિવેચન : ધ્યાનને અગ્નિની ઉપમા આપવામાં આવી છે. કારણ કે અગ્નિ સ્વયંશુદ્ધ હોય છે. દુનિયામાં ગંગાના પાણીને પવિત્ર માનવામાં આવે છે, છતાં એમાં દોપ હોય છે. તે દોષોને દૂર કરવા અગ્નિનો ઉપયોગ કરવામાં આવે છે..! અગ્નિને શુદ્ધ કરવાની જરૂ૨ હોતી નથી, કારણ કે તે સ્વયંશુદ્ધ હોય છે.
માટે ધ્યાનને અગ્નિની ઉપમા આપવામાં આવી છે. અગ્નિ સળગાવવાનું કામ કરે છે.’ ‘ધ્યાનાનિ સર્વવર્મા, મરમસાત્ તે ક્ષાત્।' એમ કહેવામાં આવ્યું છે. ધ્યાનની આગ કેવી પ્રચંડ હોય છે...તે સમજાવવા ગ્રન્થકારે કહ્યું કે દુનિયાભરનાં ઈંધન ભેગાં કરીને સળગાવવામાં આવે અને જે પ્રચંડ આગ પેદા થાય...તે આગમાં કેવી દાહક-શક્તિ હોય? તેના કરતાં અનન્તગુણ દાહકશક્તિ ધ્યાનના અગ્નિમાં હોય છે. તો જ એ ધ્યાનાગ્નિ અનંત કર્મોને ભસ્મસાત્ કરી શકે છે.
ધ્યાનાગ્નિને વિશેષ પ્રજ્વલિત કરવા માટે તેમાં ઘી નાંખવું પડે. તે ઘી હોય છે તપનું, પ્રશમનું અને સંવરનું! ધ્યાનમાં શુક્લધ્યાનમાં લીન બનેલા આત્મામાં સહજભાવે જ ઘી હોમાતું જતું હોય છે. એ આત્માનો ધ્યાનકાળે ઉપયોગ નથી હોતો કે ‘હું તપ કરું...હું પ્રશમભાવમાં રહું.હું મારા આત્મામાં વહી આવતાં કર્મોને રોકું.'
શુક્લધ્યાનમાં આ ત્રણ તત્ત્વો સહાયક હોય છે. આ ત્રણ તત્ત્વો હોય તો જ શુક્લધ્યાનમાં પ્રવેશ થઈ શકે. શુક્લધ્યાનની શક્તિને પ્રતિસમય વધારનારાં પણ આ ત્રણ તત્ત્વો છે. તપ એટલે બાહ્ય અનશનાદિ તપ નહીં પરંતુ શ્રુતજ્ઞાનરૂપ અને આત્મજ્ઞાનરૂપ તપ સમજવાનો છે. એને તપ કહેવાય કે જે કર્મોને બાળે એટલે અન્ય શાસ્ત્રોમાં જ્ઞાનને પણ અગ્નિની ઉપમા આપવામાં આવી છે. શુક્લધ્યાનમાં જ્ઞાનાગ્નિ અને ધ્યાનાગ્નિ અભિન્ન હોય છે, તેથી તેની દાહક શક્તિ ખુબ વધી જાય છે.
For Private And Personal Use Only