________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૮
પ્રશમરતિ
સંપૂર્ણ લોકના આકારે છે...કેવળી સમુદ્દાત વખતે જીવ પણ લોકાકારે બને છે...' ચૌદ રાજલોકની પુરુષાકૃતિનું ચિંતન કરે...
આ ચાર પ્રકારના ચિંતનના પરિણામે
૧. એ મહાત્મા સંસારથી ભયભીત બને. સંસારમાં રહેલી અનર્થોની પ્રચુરતા...તેના હૃદયને કંપાવી દે. શુભાશુભ કર્મોના ઉદયોમાંથી સર્જાતી અસંખ્ય વિષમતાઓ તેના મનને અકળાવી દે. ચૌદ રાજલોકમય વિરાટ સૃષ્ટિમાં જીવોના થતા અવિરત પરિભ્રમણને જોઈ તેના શરીરે પરસેવો વળી જાય...બિહામણા દૈત્ય કરતાં પણ વધુ ભયંકર તેને સંસાર દેખાય...તે હમેશાં ઉદ્વિગ્ન રહે...ભયભીત રહે, ‘રખેને મારાથી કોઈ પાપ ન સેવાઈ જાય...૨ોને હું પ્રમાદમાં પડી ન જાઉં...૨ખેને કોઈ પાપપિશાચ મને ગળી ન જાય...'
૨. ભવોદ્વેગથી મહાત્મા ક્ષમાશીલ બને. સંસારનાં સુખો પ્રત્યે જે વિરાગી બને છે તેને ક્ષમાગુણ સહજતાથી સિદ્ધ થાય છે. પોતાના શરીર પ્રત્યે પણ મમતારહિત બનેલા મહાત્માને દુનિયામાં કોઈ શત્રુ જ દેખાય નહીં. શરીર પર આક્રમણ કરનારને પણ તે મિત્ર માને! જે સાધક આત્માએ સ્વજનો, પરિજનો, સંપત્તિ અને શરીરને પરાયાં માન્યાં, એના તરફનું આકર્ષણ જેનું નાશ પામ્યું, તે આત્માને કોઈ જીવાત્મા પોતાનો અપરાધી લાગે જ નહીં, એટલે તે સહજભાવે ક્ષમાશીલ બને.
૩, ક્ષમાશીલ આત્મામાં અભિમાન હોય જ નહીં ને! ક્ષમા અને નમ્રતા તો સહચારી છે! જ્યાં ક્ષમા હોય ત્યાં નમ્રતા હોય જ. જ્યાં નમ્રતા હોય ત્યાં ક્ષમા હોય જ. જેના મનમાં દેહાભિમાન પણ રહ્યું ન હોય તેવા મહાત્માને કુલાભિમાન, રૂપાભિમાન કે બલાભિમાન જેવાં અભિમાન તો હોય જ ક્યાંથી? તે નિરભિમાની હોય, તે મદરહિત હોય. તેના દેહ ૫૨ નમ્રતાની ચાંદની પથરાયેલી હોય, તેની વાણીમાંથી નમ્રતાનાં ફૂલ ખરતાં હોય, તેના વિચારો નમ્રતાની સુવાસથી મઘમઘતાં હોય.
૪. ક્રોધ અને માન પર વિજય મેળવ્યા પછી એ મહાત્મ માયા પર પણ વિજય પ્રાપ્ત કરે. કોઇપણ જીવ સાથે વંચના કરવાનો વિચાર એના મનમાં ઊગે નહીં! શા માટે માયા કરવાની? કોના માટે માયા કરવાની? ભવસંસારનાં સર્વ સુખો તરફ વૈરાગ્ય પ્રગટી ગયા પછી...પોતાના વ્યક્તિત્વ પ્રત્યે પણ નિર્મોહી બની ગયા પછી માયા કોના માટે કરવાની ? સંસારથી વિરક્ત આત્માને કંઈ છુપાવવાનું હોતું નથી...પછી એ કપટનો આશ્રય શા માટે લે? એના મનમાં પણ માયા-કપટના વિચારો પ્રવેશી શકતા નથી.
For Private And Personal Use Only