________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિનો આધ્યાત્મિક વિકાસ
૪૩૭
વિવેધન : ધર્મધ્યાનમાં લીન આત્મા સ્વગુણોની કેવી શ્રેષ્ઠ પ્રાપ્તિ કરે છે, એનું વર્ણન આ છ કારિકામાં કરવામાં આવ્યું છે. પહેલાં ધર્મ-ધ્યાન કરવા ઉજમાળ બનેલો મહાત્મા કેવી રીતે ધર્મધ્યાન કરે છે, તેનું વર્ણન કરવામાં આવે છે.
૧. જિનાજ્ઞાનું ચિંતન : ‘વીતરાગ-સર્વજ્ઞ પ૨માત્માએ કેવું યથાસ્થિત તત્ત્વદર્શન કરાવ્યું છે! કેવો સર્વાંગસુંદર મોક્ષમાર્ગ બતાવ્યો છે! પરસ્પર અવિરોધી-અવિસંવાદી કેવી અદ્દભુત ધર્મપદ્ધતિ બતાવી છે! સ્યાદ્વાદ-અનેકાન્તવાદની કેવી દિવ્ય દૃષ્ટિ આપી છે! ‘જે કોઈ મુમુક્ષુ જિનવચન અનુસાર જીવન જીવે તે આત્મગુણોની અપાર સંપત્તિ પ્રાપ્ત કરે છે. આત્માનું નિત્ય, સ્વાધીન સુખ મેળવી નિર્ભય બને છે.' આ રીતે જિનાજ્ઞાનું સમ્યગ્ આલોચન કરતો રહે અને આન્તર આનન્દની અનુભૂતિ કરતો રહે. સૂત્રાર્થવિષયક અભ્યાસ કરતો રહે.
૨. અપાયોનું ચિંતન : હિંસા કરવાથી, અસત્ય બોલવાથી, ચોરી કરવાથી, અબ્રહ્મનું સેવન કરવાથી, પરિગ્રહી બનવાથી જીવાત્મા દુર્ગતિમાં જાય છે અને અસંખ્ય દુઃખો ભોગવે છે...માટે હું હિંસાદિ આશ્રવોનું સેવન નહીં કરું. સ્ત્રીકથા, ભોજન-કથા, દેશ-કથા અને રાજકથાઓ કરવાથી આત્મા પાપકર્મોથી બંધાય છે...માટે એવી વિકથાઓ નહીં કરું. રસગારવમાં, ઋદ્ધિગારવમાં અને સુખશીલતામાં જીવાત્મા આસક્ત થાય છે તો તે દુ:ખોના દરિયામાં ડૂબે છે...માટે એ ગારવામાં નહીં ડૂબું.. જો હું ક્ષુધા વગેરે પરીષહોને સમતાભાવે નહીં સહું તો નરકગતિ અને તિર્યંચગતિનાં ઘોર દુ:ખો સહવાં પડશે...માટે સમતાભાવે હું પરીષહો સહન કરીશ.
આ રીતે અનર્થોનું ચિંતન કરી, અનર્થોથી દૂર રહેવા જાગ્રત રહે.
૩. કર્મવિપાકોનું ચિંતન : ૪૨ પ્રકારનાં પુણ્યકર્મોના ફળનો વિચાર કરે, ૮૨ પ્રકારની પાપપ્રકૃતિના ઉદયનો વિચાર કરે. દા.ત. ‘શાતા વેદનીય [પુણ્યકર્મ કર્મના ઉદયથી જીવને નીરોગી શરીર મળે છે. અશાતા વેદનીય [પાપકર્મના ઉદયથી શરીરમાં રોગ-વ્યાધિ પેદા થાય છે. યશકીર્દિ [પુણ્યકર્મ કર્મના ઉદયથી લોકોમાં જીવની પ્રશંસા થાય છે. અપયશ નામકર્મ |પાપકર્મ] ના ઉદયથી લોકોમાં જીવની નિન્દા થાય છે...ઉચ્ચગોત્ર [પુણ્યકર્મી કર્મના ઉદયથી જીવનો ખાનદાન પરિવારમાં જન્મ થાય છે. નીચગોત્ર [પાપકર્મ। કર્મના ઉદયથી જીવ નીચ કુળમાં જન્મે છે...’
૪. સંસ્થાનનું ચિંતન : ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય લોક઼વ્યાપી છે. આકાશાસ્તિકાય લોકાલોકવ્યાપી છે...ચૌદ રાજલોકમાં ઊર્ધ્વલોક-અધોલોકમધ્યલોક આ ત્રણ ક્ષેત્ર છે...પુદ્ગલ-દ્રવ્યના અનેક આકાર છે...અચેતન મહાસ્કંધ
For Private And Personal Use Only