________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રત્યક્ષ સુખ પ્રામનું स्वर्गसुखानि परोक्षाण्यत्यन्तपरोक्षमेव मोक्षसुखम् ।
प्रत्यक्ष प्रशमसुखं न परवशं न व्ययप्राप्तम् ।।२३७ ।। અર્થ : સ્વર્ગનાં સુખ પરોક્ષ છે અને મોક્ષનું સુખ તે અત્યંત પરોક્ષ છે. પ્રશમ સુખ પ્રત્યક્ષ છે, કે જે પરાધીન નથી કે વિનાશ નથી!
વિવેચન : સુખ બે પ્રકારનાં હોય છે : પ્રત્યક્ષ સુખ અને પરાક્ષ સમ્યગુદર્શનજ્ઞાન અને ચારિત્રની આરાધનાથી જેવી રીતે પાપકર્મોનો નાશ થાય છે, તેવી રીતે પુણ્યકર્મનું બંધન પણ થાય છે. જો એ આરાધક મહાત્મા ચરમશરીરી હોય તો તો છેવટે એ પુણ્યકર્મોનો પણ નાશ કરીને મોક્ષમાં ચાલ્યા જાય, પરન્તુ જો એ મહાત્મા ચરમશરીરી ન હોય અર્થાતુ એ જ ભવમાં મોક્ષ પામનારા ન હોય તો તેમને મૃત્યુ પછી સ્વર્ગલોકમાં દેવલોકમાં જવું પડે છે. ત્યાં તેમને સ્વર્ગનાં દિવ્ય સુખો મળે છે અને એ સુખ એમને ભોગવવાં પડે છે.
પરંતુ આ સ્વર્ગનાં સુખ, આ માનવજીવન માટે તો પરાઠા છે! અ સુખો તો મળે ત્યારે ખરા! અને મોક્ષનાં સુખ તો વળી ખૂબ દૂર દૂરના સુખ છે..એ સુખ પણ મળે ત્યારે સાચાં. વર્તમાન જીવનમાં સુખ જોઈએ ને? શું એ સ્વર્ગનાં અને મોક્ષનાં સુખોની આશામાં ને આશામાં અત્યારે દુઃખી જીવન જીવવાનું? ના, દુખી જીવન જીવવાની જરૂર નથી. વર્તમાન જીવનમાં પણ સાચું સુખ મળી શકે છે.
છે જે સુખ પરાધીન હોય તે સાચું સુખ નહીં. છે જે સુખ વિનાશી હોય તે સાચું સુખ નહીં.
એવું એક ઉત્તમ સુખ છે કે જે પરાધીન નથી અને વિનાશી નથી. એ સુખનું નામ છે-પ્રશમ સુખ! એ સુખનું નામ છે, પ્રશમરતિ!
જે આત્માઓ-મહાત્માઓ પાસે આ પ્રશમ સુખ છે, તેઓને સ્વર્ગનાં સુખોની ઇચ્છા હોતી નથી, મોક્ષસુખની સ્પૃહા હોતી નથી. એ મોક્ષેડજિ : હોય છે.
આ “પ્રશમ સુખ મેળવવા કોઈની ગુલામી કરવાની નથી. તમારા અંતરાત્મામાંથી જ એ સુખ મળી જશે. મળ્યા પછી એ સુખનો અનુભવ કરવા માટે ઇન્દ્રિયોની પરવશતા રહેવાની નથી. કારણ કે આ સુખ ઇન્દ્રિયાતીત હશે. ભલે કાન બહેરા થઈ જાય, આંખોમાં અંધાપો આવી જાય, રસનાને લકવો થઈ જાય કે સ્પર્શશક્તિ નાશ પામે; પ્રશમસુખ તમે અનુભવી શકશો! આત્માનું સુખ આત્માથી જ આત્માએ અનુભવવાનું છે!
For Private And Personal Use Only