________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિથ્યાત્વ
૩૯૧ વિવેચનઃ તત્વાર્થસૂત્રમાં જેમ ગ્રન્થકારે “સમ્યગુજ્ઞાન”નું લક્ષણ બતાવ્યું નથી. તેમ અહીં પણ સમ્યગૂજ્ઞાનનું લક્ષણ બતાવ્યું નથી. તત્ત્વાર્થસૂત્રમાં જેમ પાંચ જ્ઞાનના “પરોક્ષ” અને “પ્રત્યક્ષ એવા બે ભેદ કર્યા છે તેવી રીતે અહીં પણ પરોક્ષ અને પ્રત્યક્ષ એવા બે ભેદ કર્યા છે. એ બે ભેદનું વર્ણન કરતાં પહેલાં, એ પાંચ જ્ઞાનનું સ્વરૂપ સમજીએ.
ક્રમ : પાંચ જ્ઞાનનો ક્રમ આ રીતે છે : મતિજ્ઞાન આિભિનિબોધિક જ્ઞાની શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન. પ્રસ્તુતમાં ગ્રન્થકારે પહેલાં શ્રુતજ્ઞાનનો જે ઉપન્યાસ કર્યો છે તે કારિકાની રચનાની દૃષ્ટિએ કર્યો છે.
મતિજ્ઞાન : આભિનિબૌધિકજ્ઞાના અથભિમુખ નિયત બોધ તે આભિનિબોધિકજ્ઞાન કહેવાય. બોધ અર્થને અભિમુખ જોઈએ અને નિશ્ચિત જોઈએ.
શ્રુતજ્ઞાન : આત્મા વડે જે સંભળાય તે શ્રુત આિ વ્યુત્પતિ. અર્થ મુજબ “શબ્દ” એ શ્રુત!.
જેના વડે સંભળાય તે શ્રત આ વ્યુત્પત્તિ-અર્થ મુજબ “ક્ષયોપશમ' એ શ્રુત ક્ષયોપશમથી જે સાંભળે તે શ્રુત (આ વ્યુત્પત્તિ-અર્થ મુજબ “આત્મા' એ શ્રુત) આ વ્યુત્પત્તિ-અર્થોથી ત્રણને શ્રુતજ્ઞાન કહેવામાં આવ્યાં છે : શબ્દને, ક્ષયોપશમને અને આત્માને. શબ્દ કૃતજ્ઞાનનું કારણ છે, ક્ષયોપશમ શ્રુતજ્ઞાનનો હેતુ છે અને આત્મા શ્રુતજ્ઞાનથી કથંચિત્ અભિન્ન છે.
આ શ્રુતજ્ઞાન ઇન્દ્રિયો અને મનના માધ્યમથી થાય છે. શબ્દાર્થના પર્યાલોચનના અનુસારે થતો બોધ તે શ્રુતજ્ઞાન કહેવાય છે.
અવધિજ્ઞાન : અવધિ એટલે મર્યાદા. દ્રવ્યની, ક્ષેત્રની અને કાળની મર્યાદાવાળું આ જ્ઞાન હોય છે. ઇન્દ્રિયો અને મનના માધ્યમ વિના આત્મા સાક્ષાત્ અર્થને જાણે, આ જ્ઞાનનો વિષય, રૂપી દ્રવ્યો જ હોય છે. “નન્દીસૂત્ર' માં અવધિજ્ઞાનની પરિભાષા કરતાં ટીકાકારે કહ્યું છે : નોર્થસાક્ષાતુર વ્યાપારોઠવધિઃ અર્થાતું, આત્માની રૂપીપદાર્થોના પ્રત્યક્ષજ્ઞાનની પ્રવૃત્તિ તે અવધિજ્ઞાન છે.
૭૦. માં પરોક્ષના ચમચા - તત્ત્વાર્થે 1. ૧, સૂત્ર ૧૧-૧૨. ७१. अत्थामिमुहो नियओ बोहो जो सो मओ अभिनियोहो। - विशेषावश्यकभाष्ये ७२. शब्दार्थपर्यालोचनानुसारी इन्द्रियमनोनिमित्तोऽवगमविशेषः - नन्दीसूत्र टीकायाम्
For Private And Personal Use Only