________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૪૬
પ્રશમતિ
પરિચય : જે જીવોને માત્ર સ્પર્શનેન્દ્રિય હોય તે એકેન્દ્રિય કહેવાય. જે જીવોને માત્ર સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિય હોય તે બેઇન્દ્રિય કહેવાય. જે જીવાને સ્પર્શન-રસન અને ઘ્રાણેન્દ્રિય હોય તે તેઇન્દ્રિય કહેવાય. જે જીવોને સ્પર્શન-રસન-પ્રાણ અને ચક્ષુરિન્દ્રિય હોય તે ચરિન્દ્રિય કહેવાય, અને જે જીવોને સ્પર્શન-૨સન-ઘ્રાણ-ચક્ષુ તથા શ્રવણેન્દ્રિય હોય તે પંચેન્દ્રિય કહેવાય. છ પ્રકારે :
પ
સમગ્ર જીવસૃષ્ટિનો સમાવેશ છ વિભાગોમાં પણ થાય છે. તે છ વિભાગો આ પ્રમાણે છે : પૃથ્વીકાય, અકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય. ૧. પૃથ્વીકાય : સ્ફટિક, મણિ, રત્ન, પારા, સોનું, ચાંદી, માટી, પથ્થર, મીઠું, અબરખ વગેરે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨. અપ્કાય : કૂવાનું-વરસાદનું પાણી, ઠાર, બરફ, કરા, ઝાકળ, ધુમ્મસ વગેરે. ૩. તેજસ્કાય : અંગારા, જ્વાલા, ભાઠો, ઉષ્ણ રાખ વગેરે.
૪. વાયુકાય : વાયુ, વંટોળિયો, ઘનવાત, તનવાત, મહાવાયુ વગેરે. ૫. વનસ્પતિકાય : દરેક જાતની વનસ્પતિ.
૬. ત્રસકાય : નારકી, મનુષ્ય, દેવ, જલચર તિર્યંચ, સ્થલચર-ખેંચર તિર્યંચ, આ રીતે ગ્રંથકારે બે પ્રકારે, ત્રણ પ્રકારે, ચાર પ્રકારે, પાંચ પ્રકારે અને છ પ્રકારે સંસારી જીવસૃષ્ટિનું પ્રતિપાદન કરેલું છે.
एवमनेकविधानामेकैको विधिरनन्तपर्यायः ।
પ્રો: ધન્યવાદજ્ઞાનવર્શનવિપર્યાયઃ ૨૧૦૩ ||
અર્થ : સ્થિતિ, અવગાહના, જ્ઞાન, દર્શન, આદિ પર્યાર્યાની અપેક્ષાએ આ રીતે અનેક ભેદોનો (જીવાના) એક-એક ભેદ (મૂળ ભેદ) અનન્તપર્યાયવાળો કહ્યો છે.
વિવેચન : આ રીતે (બે પ્રકારે..ત્રણ પ્રકારે છ પ્રકારે.) જીવોના અનેક પ્રકારો છે. શ્રી દેવાનન્દસૂરિરચિત ‘સમયસાર' પ્રકરણમાં બીજી રીતે પણ જીવોના પ્રકાર જોવા મળે છે. જેમ કે : બે પ્રકારે અવ્યવહાર રાશિના જીવાં અને વ્યવહાર રાશિના જીવો.
ત્રણ પ્રકાર-સંયત, અસંયત અને સંયત સંયત, ભવ્ય, અભવ્ય અને જાતિભવ્ય. ३५. तत्थ णं जे तं एवमाहंसु छव्विहा संसारसमावण्णगा जीवा ते एवमाहंसु तं जहा पुढविकाइया आउक्काइया, तेउक्काइया, वाऊक्काईया वणरसतिकाइया तसकाइया । - નીવાનીવામિત્તે/ સૂત્ર-૨૨૮
For Private And Personal Use Only