________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવના પ્રકારો
૩૪૫ દેવોના ચાર પ્રકાર : ૧. ભવનપતિ ૨. વાણવ્યંતર ૩. જ્યોતિષી ૪. વૈમાનિક.
જ ભવનપતિના ૧૦ પ્રકાર : અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, વિદ્યુતકુમાર, અગ્નિકુમાર, દીપકુમાર, ઉદધિકુમાર, દિકુમાર, પવનકુમાર, મેધકુમાર.
આ વ્યરના ૮ પ્રકાર : પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિં૫૫, મહોરગ, ગંધર્વ.
વાણવ્યંતરના ૮ પ્રકાર : અણપન્ની, પણપત્રી, ઇસીવાદી, ભૂતવાદી, કંદિત, મહાકદિત, ફોહંડ અને પતંગ.
જ્યોતિષીના ૫ પ્રકાર : સૂર્ય-ચન્દ્ર-ગ્રહ-નક્ષત્ર-તારા.
વૈમાનિકના ૨૬ પ્રકાર : કલ્પોપપન્ન-૧૨ : સૌધર્મ ઇશાન, સનત્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મ, લાતક, મહાશુક્ર, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ, અય્યત.
કલ્પાતીત ના ૧૪ પ્રકાર : રૈવેયક-૯ : સુદર્શન, સુપ્રતિબદ્ધ ; મનોરમ, સર્વતોભદ્ર, સુવિશાલ, સુમનસ, સૌમનસ, પ્રિયંકર, નંદીકર, અનુત્તર ૫ : વિજય, વૈજયંત, જયંત, અપરાજિત, અને સર્વાર્થસિદ્ધ.
પાંચ પ્રકારે !
'જ્ઞાની પુરુષોએ પાંચ પ્રકારે પણ જીવોની વિવક્ષા કરી છે. તે જીવો અનુક્રમે૧. એકેન્દ્રિય ૨. બંઇન્દ્રિય ૩. તંઇન્દ્રિય ૪. ચઉરિન્દ્રિય અને ૫, પંચેન્દ્રિય છે. આ પાંચ પ્રકારમાં સમગ્ર જીવસૃષ્ટિનો સમાવેશ થઈ જાય છે.
એકેન્દ્રિય જીવો પૃથ્વીકાય, પૂકાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાય. બેઇન્દ્રિય જીવો : શંખ, કડા, કૃમિ, પરા, અળસિયાં વગેરે. તે ઇન્દ્રિય જીવો : માંકણ, જૂ, કીડી, મંકોડા, કુંથુઆ, ઈયળ વગેરે. ચઉરિન્દ્રિય જીવો : વીંછી, ભ્રમર, માખી, મચ્છર, કંસારી વગેરે.
પંચેન્દ્રિય જીવો : દેવો, નારક, મનુષ્ય, ગાય, ભેંસ વગેરે તિર્યંચો. ३३. से किं तं देवा? देवा चउविहा पण्णत्ता, तं जहा-भवणवासी वाणमंतरा जोइसिया
वेमाणिया। - जीवाजीवाभिगमे/ सूत्र-११४ ३४. तत्थ जे ते एवमाहंसु पंचविधा संसारसमावण्णगा जीवा पण्णत्ता ते एवमाहसु, तं
जहा-एगिंदिया वेइंदिया तेइंदिया चउरिदिया पंचिंदिया। - जीवाजीवाभिगम/सूत्र२२४
For Private And Personal Use Only