________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૨.
પ્રશમરતિ તમે કદાચ ચોંકી જશો! બીજા જીવોના દોષ જ નહીં જોવાનું ગ્રન્થ કાર નથી. કહેતા, ગુણ જોવાનો પણ નિષેધ કરે છે! બીજા જીવોના ગુણો જોવાનું પણ કોઈ પ્રયોજન નથી. દોષદર્શનના પાપમાંથી મુક્ત થવા માટે ગુણદર્શન આવશ્યક છે, પરન્તુ દોષદર્શનમાં પ્રવૃત્ત થતા મનને જો શાસ્ત્રોના-ધર્મગ્રન્થોના અધ્યયનપરિશીલનમાં અને વિશુદ્ધ આત્મદ્રવ્યના ધ્યાનમાં લીન રાખવામાં આવે તો, એના જેવું બીજું કોઈ કામ નથી!
ગુણદર્શન કરવું તે સારું છે, પરન્તુ ગુણદર્શન કરવા જતાં દોષદર્શન થઈ જવું ઘણું સ્વાભાવિક છે. “આ મહાનુભાવ ખૂબ સારા વિદ્વાનું છે. ધર્મતત્ત્વોના જ્ઞાતા છે.” આ આપણે ગુણદર્શન કર્યું... એટલે એ વ્યક્તિ પ્રત્યે સભાવ જાગ્યો, હવે એના વિચારો આપણા મનમાં આવતા રહેવાના. ‘આ મહાનુભાવ વિદ્વાન તો છે પણ તપશ્ચર્યા નથી કરતા!' આ દોષદર્શન એક દિવસ થઈ જવાનું પ્રશ્ન : જેવું હોય તેવું જોવું તેમાં દોષ લાગે?
ઉત્તર : જેવું હોય તેવું જોવું અને જાણવું તે દોષરૂપ નથી, પરંતુ રાગ-દ્વેષ થવા તે દોષરૂપ છે! રાગ-દ્વેપ કર્યા વિના જોવાનું અને જાણવાનું ન આવડે ત્યાં સુધી ગુણ-દષો જવાના-જાણવાના નથી. દોષ જોવાથી જ થાય છે, ગુણ જવાથી રાગ થાય છે. આ બંને વર્ષ છે! તમે જો આધ્યાત્મિક માર્ગના યાત્રિક છો, તો આ વાત છે! આત્મચિંતનના અને તત્ત્વચિંતનના અગાધ ઉદધિમાં જો ડૂબકીઓ મારવી છે અને પરમાનન્દની અનુભૂતિ કરવી છે, તો આ વાત છે.
આપણે આપણા મનને વિશુદ્ધ ચિંતનમાં કે જે પરલક્ષી ન હોય, તેમાં જોડેલું જ રાખવાનું છે. “મને તો હવે કંટાળો આવે છે અધ્યયન કરતાં, મને તો હવે મજા નથી આવતી અભ્યાસ કરતાં...' આવી બધી વાતો ન ચાલે તમારી આ દિવ્યયાત્રામાં, ભાતિકતામાં રાચનાર માણસો જે પરદ્રવ્ય-પરપુગલની વાતોમાં રાજે-માર્ચ, તે વાતોમાં તમારાથી રસ ન જ લેવાય! “જ્ઞાનસાર' માં કહ્યું છે :
परब्रह्मणि मग्नस्य श्लथा पौद्गलिकी कथा।' પરમબ્રહ્મમાં મગ્ન મનુષ્યને મન પાંગલિક વાતો નીરસ અને નિરર્થક હોય છે. એને જરાય ગમે નહીં.
તમે કદાચ કહેશો કે “સહ-જીવનમાં અર્થાત્ બીજા સાધકો-મુનિવરોના સહવાસમાં જીવવાનું હોય ત્યાં બીજાના ગુણદોષ તો જોવાઈ જાય ને?' ન જોવાય! તનથી સાથે રહેવા છતાં મનથી અળગા રહી શકાય છે. તમે તમારા
For Private And Personal Use Only