________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૦.
પ્રશમરતિ છેતથી દુઃખ થાય છે. “દેવગતિનું આયુષ્ય પૂર્ણ થતાં મનુષ્ય કે તિર્યંચના ભવમાં જવું પડે છે તેની કલ્પના પણ દેવોને ધ્રુજાવી નાંખે છે! | સંવેદની-ધર્મકથા કરતાં, શ્રોતાઓને સંસારથી વિરા બનાવી દે, “ચાર ગતિમાં ક્યાં ય સાચું, શાશ્વત્ સુખ નથી, અનન્ત-શાશ્વત્ સુખ માત્ર મોક્ષમાં જ હોય છે'- આ વાત શ્રોતાઓના દિલ-દિમાગમાં સારી રીતે દૃઢ કરી દે. ચાર ગતિનાં દુ:ખોની કલ્પના આવે અને માણસ ધ્રૂજી ઊઠે! ઊંડો વિચાર કરતો થઈ જાય! વૈપયિક સુખોમાં રાચવાનું ને માચવાનું બંધ થઈ જાય. નિર્વેદની :
એવી ધર્મકથા કરવાની કે શ્રોતાઓ પાંચ ઇન્દ્રિયોના વિપયોપભોગમાં અનાસક્ત બની જાય. બહાર સારા અને સુંદર દેખાતા વિષયોમાં તેમને ઉગ ઉત્પન્ન થાય.
વૈષયિક સુખ અલ્પકાલીન છે, વિપયિક સુખભોગથી ક્યારે પણ તૃપ્તિ ન થાય,
સ્ત્રીનો દેહ અનેક અશુચિ દ્રવ્યોથી ભરેલો છે... શરીરમાં ખણ આવે અને માણસ ખણી નાંખે છે, ખણતાં તો આનંદ થાય છે પણ પછી બળતરા ઊઠે છે, તેમ મોહના ઉદયથી જીવાત્મા મૈથુન સેવી લે છે, પરંતુ પછી વાસનાની ઘોર બળતરા ઊઠતી હોય છે.
સર્વે અનર્થોનું મૂળ મૈથુનસંજ્ઞા છે. મથુનસેવનથી વીર્યહાનિ થાય છે. તેથી શરીરમાં અનેક રોગ જન્મે છે.
આ રીતે ચાર પ્રકારની ધર્મકથાઓ નિરંતર કરવાની છે. તેનાથી સ્વ-પરનો વૈિરાગ્ય વૃદ્ધિ પામે છે, તત્ત્વબોધ સ્પષ્ટ થાય છે અને સંસારના પ્રપંચોથી બચી જવાય છે. ગ્રન્થકાર એક સાવધાની આપે છે! વિકથાઓ કરવાથી દૂર રહેજો! ૧. સ્ત્રી-કથા ૨. ભોજન-કથા ૩. ચોર-કથા ૪. દેશ-કથા
આ ચાર પ્રકારની વિકથાઓ-વિકૃતિઓને પોષનારી કથાઓ ક્યારેય નહીં કરવાની, સ્ત્રીઓનાં રૂપયૌવન-લાવણ્ય-વેષ-ભાષા-ચાલ ઇત્યાદિનાં વર્ણન નહીં
For Private And Personal Use Only