________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯. બ્રહ્મચર્ય दिव्यात्कामरतिसुखात् त्रिविधं त्रिविधेन विरतिरिति नवकम् ।
औदारिकादपि तथा तद् ब्रह्माष्टादशविकल्पम् ।।१७७ ।। અર્થ : દેવસંબંધી તથા ઘરિક-શરીરસંબંધી કામતિના સુખથી નવ-નવ પ્રકારે વિરતિ થવાથી બ્રહ્મચર્યના ૧૮ પ્રકાર થાય છે.
વિવેવન : હે શ્રમણો, તમારે નિર્મળ બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે. તમારી સામે દેવલોકની દેવાંગનાઓ આવીને ભોગપ્રાર્થના કરે તો ય, મનથી પણ એ દેવી-ભોગસુખ ઇચ્છવાનાં નથી.
દેવલોકના મુખ્ય ચાર વિભાગો – ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકની દેવીઓ સાથે મન-વચન-કાયાથી નથી મૈથુન સેવવાનું, નથી સંવરાવવાનું કે નથી અનુમોદન કરવાનું. આ રીતે ૩ X ૩ = ૯ પ્રકારે દેવી મંથનનો ત્યાગ કરવાનો છે.
દારિક શરીરવાળી મનુષ્ય-સ્ત્રીઓ અને પશુ-સ્ત્રીઓ સાથે પણ મનવચન-કાયાથી મૈથુન નથી સેવવાનું, નથી સેવરાવવાનું કે નથી અનુમોદન કરવાનું. આ રીતે ૩ જા ૩ છે ૯ પ્રકારે આંદારિક-દહ સાથે મૈથુનનો ત્યાગ કરવાનો છે.
બ્રહ્મચર્યના આ અઢાર પ્રકારોને વધુ સ્પષ્ટતાથી વિચારીએ :
૧. મનથી એમ નહીં વિચારવાનું કે “હું જે મરીને દેવ થાઉં તો દેવીનાં દિવ્ય સુખો ભોગવીશ...” અથવા “આ જીવનમાં પણ કોઈ દેવી મળી જાય તો એનો સંભોગ કરું.”
૨. મનથી એમ નહીં વિચારવાનું કે “હું બીજા દેવો પાસે દેવીઓનાં દિવ્ય સુખ ભોગવાવીશ. સહુ દેવો દિવ્ય સુખો ભગવે એવી સગવડ કરાવીશ. જો ત્યાં એવી સગવડ નહીં હોય તો...' વગેરે
૩. મનથી દિવ્ય મંથન-ક્રિયાની અનુમોદના નહીં કરવાની કે “દેવો કેવા પુણ્યશાળી છે કે દીર્ઘ સમય સુધી દિવ્ય વિપયિક સુખ તેઓ ભોગવે છે...! આમ મનથી રાજી નહીં થવાનું.
૪. વચનથી એમ બોલવાનું નહીં કે “હું દેવલોકમાં જઈશ અને દેવી સાથે વૈષયિક સુખ ભોગવીશ.”
૫. વચનથી એમ બોલવાનું નહીં કે તમે લોકો જો દેવલોકમાં જશો તો તમને દેવીઓની સાથે કામક્રીડા કરવાનો દિવ્ય આનંદ મળશે.'
For Private And Personal Use Only