________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાગ
૩૧૧ જે વ્યક્તિત્વ બનેલું છે તેના પર જરાય અહંકાર ન કરો. પુણ્ય-કર્મના ઉદયથી જે કોઈ સારા જડ-ચેતન પદાર્થોની તમને પ્રાપ્તિ થઈ હોય કે થતી હોય, એના પર મમતા ન બાંધો-બાહ્ય સંસારનો ત્યાગ સાથે અહંકાર-મકારનો ત્યાગ કરવાનું સતત યાદ રાખો. ધન-કુટુંબ અને વૈષયિક સુખોનો ત્યાગ, અહંકારમમકારના ત્યાગ માટે છે, એ તમારે ન ભૂલવું જોઈએ.
વહાલા મુનિરાજ! તમારી નિર્ભયતા અને નિર્તતા તો જ અખંડ રહેશે, જો તમે અહંકાર-મમકારના નાગપાશમાંથી મુક્ત થયા હશો! તમે સત્તર પ્રકારના સંયમના સુરક્ષિત કિલ્લામાં વસેલા હશો તો! તમારું આંતરસુખ, આંતરપ્રસન્નતા અને આંતરતૃપ્તિ તમારી નિર્ભયતા અને નિર્લેન્ડના પર નિર્ભર છે, એ વાત યાદ રાખજે.
ત્યાગી પુરુષ સદેવ નિર્ભય રહે! ત્યાગી પુરુષ સદૈવ નિરાકુલ રહે! ત્યાગી પુરુષ સદેવ અનાસક્ત રહે! તમને વર્તમાન જીવનમાં કોઈ ભય સતાવે નહીં. તમને પારલૌકિક કોઈ ભય સતાવે નહીં. દેહ પર તમને મમતા ન હોય, પછી વ્યાકુળતા ક્યાંથી રહે? આસક્તિ ક્યાંથી રહે?
આઠ કર્મો પર વિજય મેળવવાનો સંકલ્પ કરીને તમે ઘરબાર ત્યજી દીધાં છે, ધન-સંપત્તિનો ત્યાગ કરી દીધો છે અને ઇન્દ્રિયોનાં અનેક સુખોનો પણ ત્યાગ કરી દીધો છે. તમે મહરાજના મંત્ર “અહ” અને “મમ”નો જાપ કરવો પણ છોડી દીધો છે. હવે તમને ભય કેવો? હવે તમારે કલહ શાના? તમને ભય ન હોય, તમારા જીવનમાં કોઈ કલહ ન હોય.
દેહની પૂજા ન હોય, અંતરમાં કોઈ વ્યથા ન હોય...! બસ, તમારો પુરુષાર્થ તો “નિર્ઝન્ય' બનવાનો જ ચાલતો હોય, આઠ-કમની ગ્રંથિઓને તોડવાનો તમારો પુરુષાર્થ નિરંતર ચાલતો હોય, મહાત્મનુ, નિર્ગસ્થ બનવા માટે તમે સર્વત્યાગના માર્ગે ચાલો છો.
તમારી નિર્ભયતા અને નિરાકુળતાને અખંડ રાખવા માટે તમે સતત જાગ્રત રહો. કમ સામેની લડાઈમાં આ બે તત્ત્વો ઘણાં જ મહત્ત્વનાં છે. તે જ યોદ્ધો વીરતાપૂર્વક શત્રુઓ સાથે લડી શકે છે ને વિજયી બની શકે છે કે જે નિર્ભય હોય છે, નિરાકુલ હોય છે. આત્માની અજરા-અમરતાને સમજેલા મહાપુરુષો શા માટે ભય પામે? શા માટે વ્યાકુળ બને?
For Private And Personal Use Only