________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંયમ
૩૦૯ કરવું, તેનું નામ પરિગ્રહ. હું ત્રિવિધ-ત્રિવિધ પરિગ્રહનો ત્યાગ કરું છું.” આવી પ્રતિજ્ઞા ધારણ કરવી, તે પાંચમાં પ્રકારનો સંયમ છે. પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ :
પાંચ ઇન્દ્રિયો પર નિયમન રાખવું, નિરોધ કરવો, એ પાંચ પ્રકારનો સંયમ છે. તે તે ઇન્દ્રિય સાથે જ્યારે તે તે વિષયનો સંબંધ થાય ત્યારે રાગ-દ્વેષ ન કરવા, માધ્યચ્ય ભાવ રાખવો, તેનું નામ સંયમ છે. શ્રવણેન્દ્રિય સાથે સારાનરસા શબ્દોનો સંયોગ થાય ત્યારે મનમાં રાગ ન થવા દેવો, દ્વેષ ન થવા દેવો, તેને શ્રવણેન્દ્રિય-નિગ્રહ કહેવાય. આંખો સાથે જ્યારે કોઈ સારા-નરસા રૂપનો સંયોગ થાય ત્યારે રાગ-દ્વેષ ન કરવા, તેને ચક્ષુરિન્દ્રિય-સંયમ કહેવાય. ધ્રાણેન્દ્રિય સાથે સારી-નરસી ગંધનો સંપર્ક થાય ત્યારે રાગ-દ્વેષ ન થવા દેવા, તેને ધ્રાણેન્દ્રિય-સંયમ કહેવાય. જીભ સાથે સારા-નરસા રસોનો સંપર્ક થાય ત્યારે રાગ-દ્વેષ ન થવા દેવા, તેને રસનેન્દ્રિય-નિગ્રહ કહેવાય. ચામડી સાથે કોઈ સારા-નરસા સ્પર્શ થાય ત્યારે રાગ-દ્વેષ ન કરવા, તેને સ્પર્શેન્દ્રિય-નિગ્રહ કહેવાય. કષાયજય :
pષ = સંસાર, ગાય = લાભ, જેનાથી સંસારમાં ભટકવાનો લાભ થાય, અર્થાત્ જેના કારણે સંસારમાં ભટકવું પડે, તેને “કષાય' કહેવાય છે. મુખ્યતયા કિપાયો ચાર છે ; ક્રોધ, માન, માયા અને લોભ. જ્યાં આ કપાયો મનમાં ઊઠે,
ત્યાં જ એમને શાન્ત કરી દેવા, નિષ્ફળ કરી દેવા, તેનું નામ છે કષાયજય! કષાયસંયમ! કષાયો ઉદયમાં આવી ગયા પછી પણ ક્ષમા, નમ્રતા, સરળતા અને નિલૉભતા દ્વારા તે કપાયો પર વળતા પ્રહારો કરવા, તેનું નામ છે કપાયજય.
દંડવિરતિ : મન-વચન અને કાયા જ્યારે શુભ હોય ત્યારે તેમને “ગુપ્તિ' કહેવામાં આવે છે; જ્યારે અશુભ હોય ત્યારે દેડ’ કહેવામાં આવે છે, કારણ કે તેનાથી આત્મા દંડાય છે! અશુભ બને મન-વચન તથા કાયા, અને દંડાય આત્મા! કર્મોથી બંધાય છે આત્મા! મનમાં ઈર્ષ્યા, દ્રોહ, અભિમાનાદિ કરવાં તે મનોદંડ છે. અસત્ય, કૂર અને કર્કશ વાણી તે વચનદંડ છે. દોડવું-કૂદવું-નાચવું વગેરે કાયદંડ છે...આવી મન-વચન-કાયાની પ્રવૃત્તિ નહીં કરવાની પ્રતિજ્ઞા ધારણ કરવી તેનું નામ “દંડવિરતિ' છે.
For Private And Personal Use Only