________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૪
પ્રશમરતિ અહંકાર જન્મે છે. પરાપકર્ષની લાગણીમાંથી તિરસ્કાર જન્મે છે. અહંકાર અને તિરસ્કાર જીવાત્માનું સર્વતોમુખી પતન કરે છે. મોક્ષમાર્ગની આરાધનાના માર્ગે તો અહંકાર અને તિરસ્કારનું કોઈ સ્થાન જ નથી.
માટે કહું છું કે સ્વોત્કર્ષના સ્થાને સ્થાપકર્ષને જુઓ. તમારી જાતમાં દોષોનું દર્શન કરો. સ્વદોષદર્શન કરતા જ રહો. સ્વર્દોષદર્શનથી અહંકારની ગાંઠ ઓગળતી જશે. દોષોને દૂર કરવાની આત્મચિંતા જાગશે અને ધીરે ધીરે દોષો દૂર કરવાનો પ્રયત્ન ચાલુ થઈ જશે. સ્વદોષદર્શનની સાથે સાથે પરગુણદર્શનની શરૂઆત કરવી જોઈએ. પરગુણદર્શનમાંથી ગુણાનુરાગનો શ્રેષ્ઠ ગુણ પ્રગટ થશે. તિરસ્કારની કાળાશ ધોવાઈ જશે.
હૃદયમાંથી અહંકાર અને તિરસ્કાર દૂર થતાં જ તમારા હૃદયમાં મૃદુતાનો સંચાર થશે. મૃદુતા-કોમળતા તમારા હૈયામાં દિવ્ય અને પવિત્ર વિચારોને જન્મ આપશે. તમારા હૃદયમંદિરને સ્વચ્છ, સુંદર અને આકર્ષક બનાવશે.
શ્રમણજીવનની આરાધનાને ફળવંતી બનાવવા માટે મૃદુતાને-માર્દવને હૃદયમાં સ્થાન આપવું અનિવાર્ય છે.
3. ભાળતા नानार्जवो विशुद्धयति न धर्ममाराधयत्यशुद्धात्मा।
ઘર્માત ન મોક્ષો મોક્ષાર સુવું નાજન્ 19૭૦ || અર્થ : આર્જવ સિરળતા વિના શુદ્ધિ નથી થતી, અશુદ્ધ આત્મા ધર્મનું આરાધન નથી કરી શકતો. ધર્મ વિના મોક્ષની પ્રાપ્તિ થતી નથી અને મોક્ષથી વધીને બીજું કોઈ સુખ નથી. વિવેધન : સરળ બનો.
ગુરુજનો સમક્ષ, ભવતારક સદગુરુની સમક્ષ સરળ બનો. જે સત્પષના સહારે, જે પુરુષનું માર્ગદર્શન લઈને તમારે ભવસાગર તરવો છે, આત્માની વિશુદ્ધિ કરવી છે, તેમનાથી તમે તમારી આંતરિક-માનસિક પરિસ્થિતિ છૂપાવો નહીં, તમારી શારીરિક પ્રવૃત્તિઓથી, વાચિક પ્રવૃત્તિઓથી તો તેઓને પરિચિત રાખો જ, સાથે સાથે માનસિક વૃત્તિઓથી પણ પરિચિત રાખો.
તમને ભય લાગે છે ને કે “હું મારી મનોવૃત્તિઓ કહી દઈશ તો તેઓ મારા માટે કેવો નીચો ખ્યાલ બાંધશે? મારું ગુપ્ત પાપ પ્રકાશિત થઈ જશે. તો...?' આવો ભય તમારે ન રાખવો જોઈએ. તમે એવા સમ્પર્ધા માટે શ્રદ્ધાવાનું રહો
For Private And Personal Use Only