________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
300
પ્રશમરતિ ૮. તપ તપતા રહો, તમારા કર્મોનો નાશ થશે. એકાંગી તપસ્વી ન બનશો. બાહ્ય તપની સાથે સાથે આત્યંતર તપની આરાધનાને જોજો. જો કે બાહ્ય તપ આત્યંતર-તપમાં પહોંચવા માટે છે. બાહ્ય તપ આવ્યંતર-તપમાં સહાયક છે.
૯. બ્રહ્મચર્ય : બ્રહ્મસ્વરૂપ આત્મામાં વિચરણ કરવા અબ્રહ્મ-મૈથુનથી તમારે નિવૃત્ત થવું પડશે. મિથુનનો મનથી પણ ત્યાગ કરો, અર્થાત્ મંથનના વિચારો પણ ન કરો. આવું બ્રહ્મચર્ય તમે પાળી શકો, એવા સ્થાનમાં રહો, એવું ભોજન કરો, એવી તપશ્ચર્યા કરે, એવું જ અધ્યયન કરો અને એવું જ જુઓ. બ્રહ્મચર્યનું પાલન તમારા તન-મનને તંદુરસ્ત રાખશે અને તમે પરમ બ્રહ્મની લીનતા તરફ આગળ વધી શકશો.
૧૦. અકિંચન્ય : અપરિગ્રહી બનો, મૂર્છાનો ત્યાગ કરો, મમતાનો ત્યાગ કરો. તમે જો શ્રમણ-શ્રમણી છે તો તમારે તમારાં સંયમનાં ઉપકરણો સિવાય કંઈ પણ ગ્રહણ નથી કરવાનું કે સંગ્રહ નથી કરવાનો. કોઈ પણ પુદ્ગલ પર મમતા ન થઈ જાય, એની સાવધાની રાખીને જીવવાનું છે!
ધર્મના આ દશ પ્રકારો, વિશેષરૂપે તો સંસારત્યાગી શ્રમણો અને શ્રમણીઓને આરાધવાના પ્રકારો છે. ગૃહસ્થ, આ પ્રકારોને પોતાની યોગ્યતા અને ભૂમિકાને અનુસારે આરાધી શકે છે.
ભૂતકાળનાં પાપોનો નાશ કરવા, વર્તમાનકાલીન જીવનને નિષ્પાપ તથા પ્રસન્નતાપૂર્ણ બનાવવા અને ભવિષ્યના અત્ત વિનાના કાળને સુખપૂર્ણ-આનન્દપૂર્ણ બનાવવા માટે, આ ધર્મના દશ પ્રકારો અદ્ભુત ઉપાયો છે. જે શ્રમણ અન શ્રમણીઓ આ દશ પ્રકારના ધર્મને મન-વચન અને કાયાથી આરાધે છે, તેઓ અવશ્ય સુખ-શાન્તિ અને ગુણસમૃદ્ધિ પ્રાપ્ત કરે છે.
૧. ક્ષમા धर्मस्य दया मूलं, न चाक्षमावान् दयां समादत्ते।
तस्माद्यः क्षान्तिपरः स साधयत्युत्तमं धर्मम् ।।१६८।। અર્થ : ધર્મનું મૂળ દયા છે, જે ક્ષમાશીલ નથી હોતો તે દયા ધારણ નથી કરી શકતા. માટે જે ક્ષમાધર્મમાં તત્પર હોય છે તે ઉત્તમ ધર્મને સાધે છે.
વિવેવન : શા માટે ક્રોધી બનો છો? શા માટે કોઈ પણ જીવાત્મા સાથે વેરની ગાંઠ બાંધો છો? આમ કરીને તમે સ્વયં તમારી જાતને નુકસાન પહોંચાડો
For Private And Personal Use Only