SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - --- વિજયના ઉપાય ૨૯૫ વિવેચન : “મારે વૈરાગ્યમાર્ગ પર વિજય મેળવવો છે.' આવા દઢ સંકલ્પ સાથે જો તમે ઇન્દ્રિયો, કષાય, ગારવો અને પરીષહ સામે જંગ માંડશો તો તમે અવશ્ય વિજયી બનશો! એક મહત્ત્વની અને ગંભીર વાત સાંભળી લો કે તમારે નથી લડવાનું ઇન્દ્રિયો સામે, નથી લડવાનું ગારવો સામે કે નથી લડવાનું પરીષહ સામે. તમારે લડી લેવાનું છે માત્ર કપાયો સામે! તમે કષાયોને જીતી લીધા એટલે ઇન્દ્રિયો શાન્ત થઈ જશે. રસગારવ-ઋદ્ધિગારવ અને શાતાગારવની રસિકતા નાશ પામી જશે અને પરીષહો સહવાની શક્તિનો તમારા તન-મનમાં સંચાર થશે. તમામ આન્તરશત્રુઓના સેનાપતિ છે ચાર કષાયો, ક્રોધ-માન-માયા અને લોભ. સેનાપતિઓ પર વિજય મેળવી લીધો એટલે સેના તો ભાગી જ જવાની! ક્રોધ, માન, માયા અને લોભ પર વિજય મેળવવા, સાત્ત્વિક બનીને સાધકે ઝઝૂમવું જોઈએ. સાધકમાં ધીરતા-સાત્ત્વિકતા હોવી અનિવાર્ય છે. જેને વૈરાગ્યમાર્ગ પર નિશ્ચિત અને નિર્ભય બનીને ચાલવું છે, તે અધીર બન્યું નહીં ચાલે, તેણે કાયર બન્યું નહીં ચાલે. કષાયો સામે લડવા પૂર્વે, આ કપાયા મારા શત્રુ છે, હું મારા જીવનમાં આ શત્રુઓનો ક્યારેય સહારો નહીં લઉં. મારે કષાયોની લોહજાળમાંથી મુક્ત થવું છે.” આવો તમારો દઢ સંકલ્પ હોવા આવશ્યક છે. કપાયોનાં પ્રલોભનોમાં ક્યારેય લલચાઈ ગયા, તો તમે કષાયોન નહીં જીતી શકો, તમે પોતે જિતાઈ જશો. અનન્ત જન્મોમાં જીવાત્મા કષાયોનો સહારો લેતો રહ્યો છે...કપાયોનાં શરણે જીવતો રહ્યો છે. એના પ્રગાઢ સંસ્કારો જીવાત્મા પર પડેલા છે, એટલે એમના પર વિજય મેળવવા, એમનો નાશ કરવા ખૂબ જ સાવધાન રહેવું જોઈશે. ખૂબ જ જાગૃત રહેવું પડશે. કોઈ પણ રૂપે આવીને એ કપાયો તમને પછાડી ન જાય, એની પ્રતિક્ષણ જાગૃતિ રાખવી જોઈશે. તમે ક્ષમા દ્વારા ક્રોધ પર વિજય મેળવી શકશો. નમ્રતા દ્વારા માન પર વિજય પ્રાપ્ત કરી શકશે. સરલતાના સહારે માયાને મોતને ઘાટ ઉતારી શકશો અને સંતોષ દ્વારા લોભને ભૂશરણ કરી શકશો, ક્ષમા-નમ્રતા-સરલતા અને સંતોષ, આ ચાર યોદ્ધાઓનો સહારો લઈ લો. સહારો લેતાં પહેલાં એ ચાર યોદ્ધાઓમાં તમારે સંપૂર્ણ વિશ્વાસ મૂકવો પડશે. પછી, એ ચારની સાથે કાયમ માટે જીવવાની તમારી તૈયારી હોવી For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy