________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરતિ અધ્યયન-પરિશીલન કરી સંસારી જીવાત્માઓ રાગ-દ્વેષ-વિજેતા બને, વૈરાગ્યભાવનાથી પ્લાવિત બને અને મોક્ષમાર્ગના આરાધક બને, શ્રમણ ભગવાન વર્ધમાનસ્વામીના શાસનમાં થઈ ગયેલા અનેક મહાજ્ઞાની અને મહામતિમંત મહાપુરૂષોએ હજારો ગ્રંથોની રચના કરી છે, અને કરી રહ્યા છે.
મહાપુરુષો તો સંસારમાં આવે છે ને જાય છે... તેઓનો સંપર્ક તો અલ્પકાલીન હોય છે, પરંતુ તેઓએ રચેલા ગ્રન્થો દીર્ઘકાલપર્યત લાખો કરોડો મનુષ્યોને ભવ્ય પ્રેરણાઓનું પાન કરાવતા રહે છે, પરમ શાન્તિ અને પ્રસન્નતાનો અનુભવ કરાવતા રહે છે.. ગ્રંથકાર આચાર્યદેવ તેઓના પૂર્વે થઈ ગયેલા મહાપુરુષોના વૈરાગ્યગ્રંથોને દૃષ્ટિપથમાં રાખીને તેઓને આ ગ્રંથની “પ્રશમરતિ ની રચના કેવી રીતે કરી, તે સમજાવે છે.
ગુરુપરંપરા ताभ्यो विसृताः श्रुतवाक्पुलाकिकाः प्रवचनाश्रिताः काश्चित् ।
पारम्पर्यादुत्त्सेषिका: कृपणेन संहत्य ।।६।। तद्भक्तिवलर्पितया मयाप्यविमलाल्पया स्वमतिशक्त्या ।
प्रशमेष्टतयानुसृता विरागमार्गकपदिकेयम् ।।७।। અર્થ : પૂવૉક્ત શાસ્ત્રરચનાઓમાંથી પડી ગયેલા અથવા નીકળેલા) જિનવચનાનુસારી કેટલાક આગમવચનરૂપ ધાન્યના તુચ્છ દાણાઓ, કે જે ગુરુપરંપરાથી બચેલા, અર્થાત્ થોડાક જ રહી ગયેલા, તે દાણાઓને રંક જેવો હું ભેગા કરીને, (૬)
જે મહાપુરુષો જિનવચનના તુચ્છ ધાન્યકરણો મૂકી ગયા, તેઓ પ્રત્યેની પ્રીતિના સામર્થ્યથી, અથવા એ રહી ગયેલા આગમ-વચનરૂપ તુચ્છ ધાન્યક પ્રત્યેની ભક્તિના સામર્થ્યથી પ્રાપ્ત થયેલી થોડી અને અવિમલ બુદ્ધિશક્તિથી મેં આ વૈરાગ્યમાર્ગની (પ્રશમરતિની રચના કરી છે! કારણ કે મને પ્રશમ-ઉપશમ ખૂબ પ્રિય છે.
વિવેચન : ભક્તિમાંથી શક્તિ પ્રગટે છે! પ્રીતિમાંથી પ્રતિભા પ્રગટે છે! જ્ઞાની મહાપુજ્ય પ્રત્યેની આંતરપ્રીતિ પ્રગટે, ભક્તિનો આવિર્ભાવ થાય, કે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત થયો સમજ. જ્ઞાની મહાત્માઓની ઉચ્ચતમ આત્મસ્થિતિ પ્રત્યે સહજ આકર્ષણ પ્રગટી જવું જોઈએ. આત્મજ્ઞાનની ઉપલબ્ધિની લાલસા જાગી જવી જોઈએ.
પૂર્વકાળમાં થઈ ગયેલા મહાનું કૃતધરોના ગ્રંથો આજે આપણને મળે છે, તે
For Private And Personal Use Only