________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૭
અનિત્ય-ભાવના એમ સમજી લે છે કે “અમારો આ સંબંધ ત્યાં સુધી અખંડ-અભંગ રહેશે. જ્યાં સુધી ચંદ્ર-સૂરજ આકાશમાં પ્રકાશતા રહેશે!' કાચા સૂતરના તાંતણા જેવા સર્વ સંબંધો જ્યારે તૂટી પડે છે ત્યારે જીવાત્માનું વૈર્ય તૂટી પડે છે અને આંખોમાંથી આંસુના મધ વરસી પડે છે. આ કરુણતા ન સર્જાય તે માટે “સંયો વિયોગાન્તી’ નું ચિંતન કરવું જોઈએ “સર્વ સંયોગો વિયોગમાં પરિણમનારા છે.” આ સત્યને વારંવાર વાગોળ્યા કરવું જોઈએ.
૨. ઋદ્ધિ : જ્યારે જ્યારે સંપત્તિનો વિચાર આવે, વૈભવો તરફ દષ્ટિ જાય ત્યારે ત્યારે વિચારજો કે “આ ઋદ્ધિ, આ સંપત્તિ મારી પાસે કાયમ રહેવાની નથી. કોઈની પાસે એ કાયમ રહેતી નથી, માટે હે આત્મનું, તું એ ઋદ્ધિન રાગી બનીશ મા. એ સંપત્તિનો અનુરાગી બનીશ મા.” સંપત્તિમાં આસક્તિ બંધાય નહીં તે માટે એની અનિત્યતાનું ચિંતન કરતા રહો. જેઓ આ ચિંતન નથી કરતા તેઓ જ્યારે સંપત્તિ ચાલી જાય છે, ત્યારે પારાવાર દુ:ખ અનુભવે છે.
૩. વિષયસુખ : પાંચ ઇન્દ્રિયોના વૈપયિક સુખોમાં તમે લીન બનો છો? એ સુખોમાં શું મમતા-આસક્તિ બંધાઈ છે? વૈષયિક સુખોની એ મમતા જો તમે નહીં તોડા તો એક દિવસ તમે દુઃખી થશો. જ્યારે એ વૈષયિક સુખો તમારી પાસે નહીં રહે ત્યારે તમારી વેદનાની સીમા નહીં રહે, માટે “સર્વ વૈષયિક સુખ અનિત્ય છે.' આ વિચાર વારંવાર કર.
૪. સંપત્તિ : વૈષયિક સુખની સંપત્તિ! વૈપયિક સુખોની અનુભૂતિ પણ અનિત્ય છે. જે વિષય આજે તમને સુખાનુભવ કરાવે છે, એ જ વિષય કાલે તમને દુઃખાનુભવ કરાવી શકે છે! એક વિષય કાયમ સુખાનુભવ નથી કરાવી શકતો. વૈપયિક સુખના અનુભવો અનિત્ય છે! એટલે, કોઈપણ વૈષયિક સુખના અનુભવને શાશ્વત્ ન માનો. - પ. આરોગ્ય : “મને તો નખમાંય રોગ નથી. મેં ક્યારેય દવા લીધી નથી...' સારું છે, તમારું આરોગ્ય કાયમ રહો, એમ અમે ઇચ્છીએ છીએ, પરંતુ આરોગ્ય કોઈનું ય કાયમ રહેતું નથી, આરોગ્ય, દેહની નીરોગિતા શાશ્વત્ નથી. ગમે ત્યાં અને ગમે ત્યારે આરોગ્ય ચાલ્યું જઈ શકે છે. આરોગ્યની અનિયતાનાં વિચાર કરી જ રાખો.
૬. દેહ : દેહ એટલે શરીર, દેહ એટલે કાયા. દેહ અનિત્ય છે, દેહ પરિવર્તનશીલ છે, એટલે કે શરીરની અવસ્થાઓ બદલાતી રહે છે. શરીરની
For Private And Personal Use Only