________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૧
પ્રશમતિ
નક્કી કરીને તમે વિચારો કરવા લાગો. તમારું મન પવિત્ર બનશે. અશુભ કર્મોનાં બંધનથી તમે બચી જશો. તમારાં આત્મભાવ નિર્મળ બનશે. આ બાર પ્રકારના વિચારો તમારે રોજ ફરવા જોઈએ.
આ વિચારો તીવ્ર રાગ-દ્વેષની પરિણતિ તોડી નાંખશે. આ વિચારોને વારંવાર કરનાર અલ્પજ્ઞાની આત્મા પણ પરમ સુખ અનુભવે છે, જ્યારે આ ભાવનાઓને નહીં ભાવનાર મોટો શાસ્ત્રજ્ઞાની પણ ઘોર અશાન્તિ અનુભવે છે. આ ભાવનાઓ વિના ઘોર તપ કરનાર તપસ્વી પણ આંતરપ્રસન્નતા અનુભવી શકતો નથી. આ ભાવનાઓ નહીં ભાવનાર મોટો દાનેશ્વરી પણ આંતરવ્યથાથી મુક્ત થઈ શકતો નથી. આ ભાવનાઓથી આત્માને જે ભાવિત નથી કરતો એ બ્રહ્મચારી પણ આંતરસુખ પામી શકતો નથી. આ ભાવનાઓને પોતાના શ્વાસોચ્છવાસમાં જે મુનિ વણી લેતો નથી તે મુનિ સંયમ ક્રિયાઓ કરવા છતાં આત્મભાવમાં ઠરી શકતો નથી.
ગ્રન્થકાર મહર્ષિ હવે એક-એક ફારિકા દ્વારા એક-એક ભાવનાને સ્પષ્ટ કરે છે. આપણે એક-એક કારિકા ઉપર વિસ્તારથી હવે મનન કરીશું.
અનિત્ય-ભાવના
इष्टजनसंप्रयोगर्द्धिविषयसुखसम्पदस्तथारोग्यम् ।
देहश्च यौवनं जीवितञ्च सर्वाण्यनित्यानि ।। १५१ ।।
અર્થ : ઇષ્ટજનોનો સંયોગ, ઋદ્ધિ, વિષયસુખ, સમ્પત્તિ, આરોગ્ય, શરીર, યૌવન અને જીવન, આ બધું અનિત્ય છે.
વિવેપન : મનનો એવો સ્વભાવ હોય છે કે એને જે અનિત્ય લાગે, તેના પર તેને રાગ નહીં થાય, સ્નેહ નહીં બંધાય. જે અનિત્ય છે, જે ક્ષણિક છે, જે વિનાશી છે તેને અનિત્ય ક્ષણિક અને વિનાશી સમજી લેવામાં આવે, એ સમજણને આત્મસાત્ કરવામાં આવે તો જ આસક્તિના બંધનમાંથી મન મુક્ત બને.
ઇન્દ્રિયોંચર બાહ્ય વિશ્વ અનિત્ય છે, અસ્થિર છે... સર્વનનિત્યમ્' બધું જ અનિત્ય! માટે, બાહ્ય વિશ્વના પદાર્થો તરફ અનિત્યતાનો વિચાર સુદૃઢ કરવો જાઈએ. એ બાહ્ય વિશ્વના મુખ્ય આઠ વિભાગું બતાવીને ગ્રન્થકાર એ આઠ વિભાગો તરફ અનિત્યતાનો ભાવ કેળવવા પ્રેરણા આપે છે.
૧. ઇષ્ટજન-સંયોગ : જ્યારે કોઈ પ્રિય...મનગમતી વ્યક્તિનું મિલન થાય છે, પરસ્પર સ્નેહ બંધાય છે, અનુરાગના તાણાવાણા ગૂંથાય છે ત્યારે જીવાત્મા
For Private And Personal Use Only