________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શરીક્ષા શા માટે? पिण्डः शय्या वस्त्रेषणादि पात्रषणादि यच्चान्यत्।
कल्प्याकल्प्यं सद्धर्मदेहरक्षानिमित्तोक्तम् ।।१३८।। અર્થ : આહાર, ઉપાશ્રય, વસ્ત્ર-એષણાદિ, પાત્ર-એષણાદિ અને બીજું જે કંઈ કથ્ય-અકથ્ય બતાવ્યું છે તે સદ્ધર્મન હેતુભૂત શરીરની રક્ષા નિમિત્તે કહેવાયું છે.
વિવેચન : “મુનિરાજ! તમે અપરિગ્રહી છો ને? પરિગ્રહનો મન-વચનકાયાથી ત્યાગ કર્યો છે ને? તો પછી ભોજન, ઉપાશ્રય, વસ્ત્ર, પાત્ર વગેરે તો. તમે લો છો...તમે અપરિગ્રહી કેવી રીતે?' જિજ્ઞાસુના આ પ્રશ્નનો ઉત્તર આ શ્લોકમાં આપવામાં આવ્યો છે.
પહેલી વાત : પરિગ્રહ કોને કહેવાય, એ પરિભાષાનો વિચાર કરીએ. જિનાગમોમાં કહેવાયેલું છે : અચ્છા પરિસાણો વત્તો મનની વસ્તુમાં મૂછમમત્વ એ પરિગ્રહ છે. કોઈ વસ્તુને પાસે રાખવા માત્રથી સાધુ પરિગ્રહી બની જતો નથી. જો વસ્ત્ર, પાત્ર આદિ રાખવા માત્રથી “પરિગ્રહ' કહેવાતા હોય, તો શરીર પણ પરિગ્રહ કહેવાશે! આત્મા શરીરમાં રહે છે ને? તો આત્મા માટે શરીર પણ પરિગ્રહ કેમ નહીં? પરંતુ જે શરીર પ્રત્યે મમતારહિત હોય છે તેના માટે શરીર પરિગ્રહ નથી, તેમ વસ્ત્ર, પાત્ર, ઉપાશ્રય આદિ તરફ મમતારહિત સાધુ પરિગ્રહી કેવી રીતે કહેવાય?
બીજી વાત : મોક્ષમાર્ગની આરાધનામાં, આરાધકની આશયશુદ્ધિ મહત્ત્વની મનાયેલી છે. અર્થાત્ સાધકનો આશય શુદ્ધ હોવો જોઈએ. સાધુ જે આહાર કરે છે, વસ્ત્ર ધારણ કરે છે, પાત્ર રાખે છે, ઉપાશ્રયમાં રહે છે. શરીરની કાળજી રાખે છે, આની પાછળ એનો આશય કર્યો છે, એ સમજવું જોઈએ. એને જે સંયમ-ધર્મની આરાધના કરવી છે, તે આરાધનાનો આધાર છે. શરીર. એ શરીરને ટકાવવા માટે સંયમધર્મની આરાધનામાં સહાયક બને તે માટે, શરીરને વસ્ત્ર, પાત્ર, આહારાદિ જોઈએ જ. એટલે વસ્ત્ર, પાત્ર વગેરે ગ્રહણ કરવાનો અને ઉપયોગ કરવાનો આશય છે સંયમધર્મની આરાધના કરવાનો. આ આશય પવિત્ર અને વિશુદ્ધ હવાથી, શરીરની સંભાળ રાખવી અને તે વસ્ત્ર પાત્રઆહારાદિ ગ્રહણ કરવાં તે પરિગ્રહ ન કહેવાય. શરીર અને શરીર માટેનાં સાધના પ્રત્યે સાધુ મૂરહિત હોય છે.
સાધુ સંયમ-આરાધનાના શુદ્ધ લક્ષથી અને મૂર્છામુક્ત ભાવથી આહાર વગેરેની ગવેષણા કરે. જેવી રીતે કર દોષ ટાળીને આહાર લાવવાનો છે તેવી
For Private And Personal Use Only