________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૬.
પ્રશમરતિ કરવાના જે વિધિ બતાવવામાં આવી છે, એ વિધિ મુજબ સાધુ આહાર ગ્રહણ કરતો હોય છે, અર્થાતુ દોષરહિત ભિક્ષા ગ્રહણ કરતો હોય છે.
દોષરહિત ભિક્ષા પણ સાધુ પરિમિત જ ગ્રહણ કરે. આવશ્યકતા કરતાં વધુ આહાર તે ગ્રહણ ન કરે; કારણ કે ગ્રહણ કરેલો આહાર સાધુ બીજા દિવસ માટે રાખી શકતો નથી. જો વધેલી ભિક્ષા તે પરઠવી દે (ધૂળમાં કે રાખમાં મેળવીને જીવરહિત જગાએ નાંખી દો તો તેને પ્રાયશ્ચિત કરવું પડે છે. એટલે ભિક્ષા લેતી વખતે સાધુએ જાગ્રત રહેવાનું હોય છે. પોતાના માટે અને સહવર્તી સાધુ માટે આવશ્યક હોય એટલા જ પ્રમાણમાં એ ભિક્ષા લે.
સુધા ઉપશાન્ત થઈ જાય અને શરીરમાં શક્તિસંચાર થઈ જાય, એટલો જ આહાર કરવાનો હોય છે. અકળાઈ જવાય એ રીતે આહાર કરવાનો જ નથી. ન છૂટકે, શરીરને ટકાવવા માટે જ સાધુ આહાર કરે. જો શરીરને આહાર ન આપે તો શરીર સંયમધર્મની આરાધનામાં સહાયક ન બને, આ વિષયમાં એક ઉપનય-કથા આગમ ગ્રન્થમાં આપી છે.
એક નગરમાં એક નાના બાળકની હત્યા થઈ ગઈ. બાળકના શરીર પર મૂલ્યવાન અલંકારો હતા, એની લાલચથી ડાકુએ બાળકનું અપહરણ કર્યું, અલંકાર લઈ, બાળકની હત્યા કરી નાંખી, પરંતુ થોડા જ દિવસમાં એ ડાકુ પકડાઈ ગયો અને રાજાએ જેલમાં પૂરી દીધો.
મૃત બાળકના પિતા શ્રીમંત વ્યાપારી હતા. એક દિવસ એ પણ રાજાના ગુનેગાર ઠર્યા અને એમને જેલમાં પૂરી દેવામાં આવ્યા. જેલની જે ઓરડીમાં પેલા ડાકુને રાખવામાં આવ્યો હતો એ જ ઓરડીમાં શેઠને રાખવામાં આવ્યા. શેઠને અને ડાકુને એક જ બેડીમાં કેદ કરાયા, એટલે શેઠને કે ડાકુને બહાર જવું હોય તો સાથે જ જવું પડે.
શેઠના ઘરેથી શેઠાણી શેઠ માટે સારું ભોજન તૈયાર કરી જેલમાં મોકલે છે. દાસી ભોજનનો થાળ લઈ શેઠ ને ભોજન કરાવવા જેલમાં આવે છે. પહેલા દિવસે જ્યારે ભોજન આવ્યું, ડાકુએ શેઠ પાસે થોડે ભોજન માગ્યું. શેઠે કહ્યું : “તું મારા પુત્રનો હત્યારો છે, તને હું ભોજન નહીં આપું.” શેઠે ડાકુને ભોજન ન આપ્યું. એકલા જ ખાઈ ગયા. બપોરે શેઠને જંગલમાં જવાની હાજત થઈ, તેમણે ડાકુને કહ્યું : “મારે જંગલ જવું છે, મારી સાથે ચાલ.” ડાકુએ ના પાડી દીધી! શેઠ કરગરવા લાગ્યા ત્યારે ડાકુએ કહ્યું : “તમે રોજ તમારા ભોજનમાંથી અડધું ભોજન મને આપવાનું વચન આપો તો હું આવું.' શેઠને નાછૂટકે હા પાડવી પડી.
For Private And Personal Use Only