________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૮
પ્રશમરતિ જેમ માનવીની સમૃદ્ધિ પરિવર્તનશીલ છે, તેમ માનવીના સંબંધો પણ પરિવર્તનશીલ છે! નાશવંત છે!
“સંયોગા વિયોગાન્તાઃ' જેનો સંયોગ તેનો વિયોગ! જો કોઈ સંયોગ શાશ્વતુ ટકી શકતો નથી તો પછી એ સંયોગોમાં રાજી કેમ થવાય? એ સંયોગ....એ સંબંધોની ખાતર પાપો કેમ આચરાય?
ક્યારેય પણ તમારી પ્રિય વ્યક્તિએ તમારો સંબંધ બગાડ્યો નથી, તમારો સંબંધ વર્ષોથી પ્રેમભર્યો ચાલ્યો આવે છે... ભલે ચાલ્યો આવે, એ સંબંધને મૃત્યુ તોડી નાંખશે! મૃત્યુએ ઘનિષ્ઠ પ્રેમીઓના પણ વિયોગ કરાવ્યા છે. મૃત્યુએ પ્રગાઢ સંબંધોને પણ તોડી નાંખ્યા છે અને તોડી નાંખે છે!
જો કે જીવનભર એકસરખા પ્રેમના સંબંધ ટકવા જ મુશ્કેલ છે! કારણ કે દુનિયામાં મોટા ભાગના સંબંધો.... સંયોગો સ્વાર્થ પ્રેરિત હોય છે. જ્યાં સ્વાર્થ ઘવાયો કે સંબંધ તૂટ્યો! જ્યાં સ્વાર્થ પૂરો થયો કે સંબંધ ઉપાયો! રાગી-કેપી અને અજ્ઞાની જીવોના સંબંધો ક્ષણિક જ હોય છે. પછી ભલે એ પિતા-પુત્રનો સંબંધ હોય, મા-દીકરીનો સંબંધ હોય, પતિ-પત્નીનો સંબંધ હોય કે ગુરુશિષ્યનો સંબંધ હોય! એ સંબંધ તૂટ્યા વિના રહે જ નહીં.
જ્યારે પ્રિયજનના સંયોગનો વિયોગ થાય છે, ત્યારે કેવી અપાર વેદના થાય છે તે જાણવું હોય તો શ્રીરામચન્દ્રજીને પૂછજો કે જ્યારે સીતાજીને રાવણ ઉપાડી ગયો હતો, ત્યારે તમારી શું સ્થિતિ થઈ હતી. સીતાજીને પૂછજો કે શ્રીરામે જ્યારે તમને જંગલમાં મોકલી દઈ તમારો ત્યાગ કર્યો હતો, ત્યારે તમારી મનોવ્યથા કેવી હતી?
પેલા સગર ચક્રવર્તીને પૂછજો કે : તમારા ૬૦ હજાર પુત્રો એક સાથે જ્યારે અગ્નિકુમાર દેવોના પ્રકોપનો ભોગ બની ગયા. ત્યારે તમે કેવાં કલ્પાંત કર્યો હતા?
જો સંયોગને ક્ષણિક ન સમજ્યા, સંયોગને શાશ્વતું માનીને એ સંયોગોમાં સુખ માણ્યું તો..મ સમજજો! એ સંયોગનો જ્યારે વિયોગ થશે ત્યારે તમે વિયોગની વેદના સહી નહીં શકો...કદાચ તમે તમારા પ્રાણ ખોઈ બેસશો...કદાચ તમે પાગલ થઈ જશો! શ્રીરામ જેવા મહાપુરુષ લક્ષ્મણજીના મૃતદેહને ખભે ઊંચકીને અયોધ્યાના રાજમાર્ગો પર ફર્યા હતા....એ શું હતું?
માનવલોકના વૈભવોને ક્ષણવારમાં બગડી જનારા સમજો.
સંસારના તમામ સંબંધોને વિનાશી સમજ, શોકજનક માનો, તો તમને એ વૈભવોની અભિલાષા નહીં થાય, એ સંબંધોમાં મમતા નહીં બંધાય.
For Private And Personal Use Only