________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષયોમાં રર્વ તે માનવ નહીં!
૧૮૫ અહિત કરનારા બને છે, અર્થાત્ આપણી રાગદશા અને આસક્તિ જ આપણું અધ પતન કરે છે.
“.... ૨/૨૨૧વિતા વિવાદ' આમ કહીને ગ્રન્થકારે આપણી તીવ્ર રાગદશા તરફ આંગળી ચીંધી છે. જ્યાં સુધી વૈષયિક સુખોનો આપણે સર્વથા ત્યાગ ન કરી શકીએ, ત્યાં સુધી એ વિષયોનું સેવન તીવ્ર રાગથી ન કરીએ. રાગમાં તીવ્રતાને ન ભળવા દઈએ. “વિષય સંભોગ” માં હલાહલ ઝેરનું દર્શન કરનારી દિવ્યદૃષ્ટિ ખૂલી ગયા પછી, રાગમાં તીવ્રતા આવી શકતી નથી. ‘વિષયસંભોગની ભૂખ સહન થતી નથી અને એ વિષયસેવન નાછૂટકે કરે છે, ત્યારે રાગ હોય, પરંતુ એ રાગમાં તીવ્રતા ન હોઈ શકે.
“સમ્યગુષ્ટિ જીવાત્મા વિષયોપભોગ કરે, છતાં એ પાપકમાંનો બંધ અલ્પ પ્રમાણમાં કરે છે, આવું પ્રતિપાદન ધર્મગ્રન્થ કરે છે, એનું હાર્દ આ જ છે. જ્ઞાનદૃષ્ટિ કહો, દિવ્યદૃષ્ટિ કહો, યોગદષ્ટિ કહે કે સમ્યગ્દષ્ટિ કહો, એ દૃષ્ટિ રાગમાં તીવ્રતાને ભળવા દેતી નથી! વૈષમાં તીવ્રતાને ભળવા દેતી નથી! એ જ્ઞાનદૃષ્ટિ આ છે : “વિષયો વિપ કરતાંય વધુ ભયંકર છે. વિષ એક જીવન નષ્ટ કરે છે, વિષયો અનેકભવ...અનેક જીવન બરબાદ કરે છે.' વિષયોપભાંગ કરતાં પહેલાં અને વિપર્યાપભોગ કર્યા પછી, આ જ્ઞાનદૃષ્ટિ સાવ ખુલ્લી રહેવી જોઈએ. વિષયોપભોગ સમયે જ્ઞાનદૃષ્ટિ ખુલ્લી રહી શકતી નથી! શાનદશા હોઈ શકે! અર્થાત્ અંતરાત્મા જાગ્રત હોય, બહિરાભા મોહનિદ્રામાં હોય!
પાંચેય ઇન્દ્રિયોના વિષયો તરફ આ જ્ઞાનદૃષ્ટિથી જોવાનું છે. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ તરફ “આ વિષયો મિશ્રિત છે.” આ વિચારને દઢ કરી દેવાનાં છે. આ વિચારથી તમારું વિષય-રાગનું ઝેર ઊતરતું જશે. જ્યારે વિષય-રાગનું ઝેર ઓછું થઈ જશે, ત્યારે વૈરાગ્યનું અમૃત વધતું જશે. વૈરાગ્યનું અમૃત તમારા મનને, જીવનને આનંદથી ભરી દેશે, રાગજ આનંદ કરતાં વૈરાગ્યજન્ય આનંદ દીર્ઘજીવી, પરિશુદ્ધ અને પુણ્યબંધક હોય છે.
વિષયોમાં રમે તે માનવ નહીં!
अपि पश्यतां समक्षं नियतमनियतं पदे पदे मरणम्। येषां विषयेषु रतिर्भवति न तान् मानुषान् गणयेत् ।।११०।। અર્થ : સ્થાને સ્થાને નિયત અને અનિયત મરણને પ્રત્યક્ષ જોવા છતાં જેને વિષયોમાં આસક્તિ થાય છે, તેમને મનુષ્ય ન ગણવા જોઈએ.
For Private And Personal Use Only