________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૦.
પ્રશમરતિ કદાચ, એવી શારીરિક પીડા ન થાય તો પણ એ નારી પોતાના વસ્ત્રરહિત દેહને જોઈને લજ્જાથી છળી મરે છે. તુરત જ એ વસ્ત્રપરિધાન કરી લે છે. એને ભય હોય છે : “આવી કઢંગી સ્થિતિમાં વડીલો મને.....અમને જોઈ ન લે!'
વિષયસેવનની આ ત્રણ અવસ્થાઓનું સ્પષ્ટ વર્ણન ગ્રન્થકારે કર્યું છે. આદિ, મધ્ય અને અંત! આદિમાં-પ્રારંભમાં ઉત્સુકતા અને કુતૂહલ હોવાથી શાન્તિ અને સ્વસ્થતા નથી રહેતી. મધ્યમાં એટલે કે સંભોગકાળ તીવ્ર મોહની વેદના-વ્યાકુળતા હોવાથી ત્યારે પણ શાન્તિ કે સ્વસ્થતા નથી રહેતી. સંભોગક્રિયાની સમાપ્તિ પછી બીભત્સ અંગદર્શન, કરુણાજનક રુદન, શરમ અને ભયની લાગણીઓ જન્મતી હોવાથી શાન્તિ અને સ્વસ્થતા નથી જળવાતી!
વિષયસેવન પૂર્વે શાન્તિ-સ્વસ્થતા નહીં, વિષયસેવન કાળે શાન્તિ સ્વસ્થતા નહીં અને વિષયસેવન કર્યા પછી શાન્તિ-સમતા નહીં.... તો પછી શા માટે વિષયસેવનની ઇચ્છા કરવી ?
જ્ઞાનીપુરુષ, આત્મષ્ટા મહર્ષિઓ ક્ષણિક સુખો કરતાં અંતરાત્માની સ્થાયી શાન્તિ અને સ્વસ્થતાને વિશેષ મહત્ત્વ આપે છે. વિષયસેવનમાં ભલે ક્ષણિક સુખનો અનુભવ મનુષ્ય કરે છે, પરંતુ એ થોડી ક્ષણો વીત્યા પછી શું? એ વાસનાનો જુવાળ શમ્યા પછી શું? નરી અશાન્તિ અને અસ્વસ્થતા જ છે ને?
પૂર્ણજ્ઞાની વીતરાગને સંસારને કોઈ ખૂણો અણદેખ્યો હોતો નથી; કોઈ દેશ-પ્રદેશ અજાણ્યો હોતો નથી પછી માનવીનું શયનગૃહ અણદેવું કેવી રીતે હોય? ભલે એ શયનગૃહનાં બારી-બારણાં બંધ હોય, કેવળજ્ઞાનની દૃષ્ટિ એ બંધ શયનગૃહની ભીતર જોઈ શકે છે તે જાણી શકે છે! એ જવામાં અને જાણવામાં કેવળજ્ઞાનીને નથી હોતો રાગ કે નથી હોતો પ! કારણ કે તેઓ વીતરાગી હોય છે. '
શયનગૃહની ગુપ્ત વાતને પ્રગટ કરીને જ્ઞાનીપુજ્ય મનુષ્યને એ વિષયસેવનથી અળગા રહેવાની પ્રેરણા આપે છે. સેક્સ-સેન્ટરોથી દૂર રહેવાની સલાહ આપે છે, આત્માની શાંતિ અને સ્વસ્થતાને અખંડ રાખવા માટે વિપસંભોગનો ત્યાગ કરવાનો ઉપદેશ આપે છે. પ્રશમભાવમાં આનંદનો અનુભવ કરવા માટે સંભોગક્રિયાનો ક્ષણિક આનંદ જ તો કરવો જ પડશે.
यद्यपि निषेव्यमाणा मनसः परितुष्टिकारका विषया।
વિક્રષ્નાનાદિન મને પતિદુરન્તા||૧૦૭ {T અર્થ : જા કે સેવન કરતી વખતે વિષયો મનને સુખકારી લાગે છે, તો પણ કિપાકફળના ભક્ષણની જેમ પછીથી અતિ દુઃખદાયી હોય છે.
For Private And Personal Use Only