SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૦. પ્રશમરતિ કદાચ, એવી શારીરિક પીડા ન થાય તો પણ એ નારી પોતાના વસ્ત્રરહિત દેહને જોઈને લજ્જાથી છળી મરે છે. તુરત જ એ વસ્ત્રપરિધાન કરી લે છે. એને ભય હોય છે : “આવી કઢંગી સ્થિતિમાં વડીલો મને.....અમને જોઈ ન લે!' વિષયસેવનની આ ત્રણ અવસ્થાઓનું સ્પષ્ટ વર્ણન ગ્રન્થકારે કર્યું છે. આદિ, મધ્ય અને અંત! આદિમાં-પ્રારંભમાં ઉત્સુકતા અને કુતૂહલ હોવાથી શાન્તિ અને સ્વસ્થતા નથી રહેતી. મધ્યમાં એટલે કે સંભોગકાળ તીવ્ર મોહની વેદના-વ્યાકુળતા હોવાથી ત્યારે પણ શાન્તિ કે સ્વસ્થતા નથી રહેતી. સંભોગક્રિયાની સમાપ્તિ પછી બીભત્સ અંગદર્શન, કરુણાજનક રુદન, શરમ અને ભયની લાગણીઓ જન્મતી હોવાથી શાન્તિ અને સ્વસ્થતા નથી જળવાતી! વિષયસેવન પૂર્વે શાન્તિ-સ્વસ્થતા નહીં, વિષયસેવન કાળે શાન્તિ સ્વસ્થતા નહીં અને વિષયસેવન કર્યા પછી શાન્તિ-સમતા નહીં.... તો પછી શા માટે વિષયસેવનની ઇચ્છા કરવી ? જ્ઞાનીપુરુષ, આત્મષ્ટા મહર્ષિઓ ક્ષણિક સુખો કરતાં અંતરાત્માની સ્થાયી શાન્તિ અને સ્વસ્થતાને વિશેષ મહત્ત્વ આપે છે. વિષયસેવનમાં ભલે ક્ષણિક સુખનો અનુભવ મનુષ્ય કરે છે, પરંતુ એ થોડી ક્ષણો વીત્યા પછી શું? એ વાસનાનો જુવાળ શમ્યા પછી શું? નરી અશાન્તિ અને અસ્વસ્થતા જ છે ને? પૂર્ણજ્ઞાની વીતરાગને સંસારને કોઈ ખૂણો અણદેખ્યો હોતો નથી; કોઈ દેશ-પ્રદેશ અજાણ્યો હોતો નથી પછી માનવીનું શયનગૃહ અણદેવું કેવી રીતે હોય? ભલે એ શયનગૃહનાં બારી-બારણાં બંધ હોય, કેવળજ્ઞાનની દૃષ્ટિ એ બંધ શયનગૃહની ભીતર જોઈ શકે છે તે જાણી શકે છે! એ જવામાં અને જાણવામાં કેવળજ્ઞાનીને નથી હોતો રાગ કે નથી હોતો પ! કારણ કે તેઓ વીતરાગી હોય છે. ' શયનગૃહની ગુપ્ત વાતને પ્રગટ કરીને જ્ઞાનીપુજ્ય મનુષ્યને એ વિષયસેવનથી અળગા રહેવાની પ્રેરણા આપે છે. સેક્સ-સેન્ટરોથી દૂર રહેવાની સલાહ આપે છે, આત્માની શાંતિ અને સ્વસ્થતાને અખંડ રાખવા માટે વિપસંભોગનો ત્યાગ કરવાનો ઉપદેશ આપે છે. પ્રશમભાવમાં આનંદનો અનુભવ કરવા માટે સંભોગક્રિયાનો ક્ષણિક આનંદ જ તો કરવો જ પડશે. यद्यपि निषेव्यमाणा मनसः परितुष्टिकारका विषया। વિક્રષ્નાનાદિન મને પતિદુરન્તા||૧૦૭ {T અર્થ : જા કે સેવન કરતી વખતે વિષયો મનને સુખકારી લાગે છે, તો પણ કિપાકફળના ભક્ષણની જેમ પછીથી અતિ દુઃખદાયી હોય છે. For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy