________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૮
પ્રશમરતિ
છે? બીજા જીવોનો તિરસ્કાર કરવાથી અને અવર્ણવાદ કરવાથી કર્યું કર્મ બંધાય છે, એ તમે જાણો છો? એ બંધાયેલું કર્મ જ્યારે ઉદયમાં આવે ત્યારે કેવું ફળ આપે છે, એ તમે જાણો છો? કેટલાં વર્ષો સુધી, કેટલા ભવ સુધી એ ફળ આપતું રહે છે, એ જાણો છો? તમારે આ કર્મ-તત્ત્વને સારી રીતે સમજવું જોઈએ. એ સમજ્યા પછી પણ જો તમને બીજા જીવોનો પરાભવ અને અવર્ણવાદ કરવો ગમે, તો ભલે ફરજો.
આઠ પ્રકારનાં કર્મોમાં ‘ગોત્રકર્મ'નો એક પ્રકાર છે, તેના બે ભેદ છે : ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર, બીજા જીવોનો તિરસ્કાર કરવાથી અને અવર્ણવાદ કરવાથી નીચ ગોત્ર બંધાય છે. આ કર્મના ઉદયથી એ જીવાત્મા હીનજાતિમાં જન્મે છે, મ્લેચ્છ જાતિમાં જન્મ અને ચંડાળ જાતિમાં પણ જન્મે. ક્રોડો ભવ સુધી આવાં જઘન્ય જાતિ-કુળમાં જ એ જન્મ્યા કરે, પશુોનિમાં ગર્દભ વગેરેની હીનજાતિમાં જન્મ્યા કરે.
હીનજાતિમાં સતત અનેક પ્રકારના ભર્યાના ઓછાયા નીચે એને જીવવાનું. સહુ એને સતાવે. સહુ એને રડાવે, બીજા જીવોનો પરાભવ કરવાનો આત્મસંતોષ તો ગિક હોય છે. બીજા જીવોનો અવર્ણવાદ ફરવાનો આનંદ પણ ક્ષણિક હોય છે; પરંતુ એનાથી બંધાતાં કર્મોનાં ઉદય જે દુ:ખ-ત્રાસ આપે છે તે ક્ષણિક નથી હોતો એ તો ક્રોડો જનમ સુધી ભાંગવવો પડે છે.
આત્મોત્કર્ષથી-જાતની વડાઈ અને બડાઇથી પણ નીચ ગોત્ર કર્મ બંધાય છે. તમે તમારી મહાનતાનાં ગાણાં ગાઈને ભલે થોડો સમય રાજી થાઓ. સ્વપ્રશંસા કરી કરીને મિથ્યા આત્મસંતોષ મેળવો, એનું પરિણામ ભયંકર છે. જો તમે, ‘કર્મબંધ' અને ‘કર્મઉદય'ના સિદ્ધાન્તમાં શ્રદ્ધા ધરાવો છો તો તમારે ગ્રન્થકારની આ વાત માનવી પડશે. કરોડો ભવોમાં તમારે હીન-હીનતર જાતિમાં જન્મ લેવા પડશે. આ વર્તમાન જીવન તો ક્ષણિક છે, અલ્પકાલીન છે. અહીંથી જ્યાં આત્માએ પ્રયાણ કર્યું, એક ક્ષણ કરતાં પણ ઓછા સમયમાં અને હીન-નીચ જાતિમાં જન્મવું પડશે. ત્યાં પછી અનેકોના ઘોર પરાભો સહન કરવાના. અનેકોના તિરસ્કાર સહન કરવાના, ત્યાં તમે તમારી સ્વપ્રશંસા નહીં કરી શકો. સ્વપ્રશંસા કરવા જેવું કંઈ મળશે જ નહીં.
જો તમારે ભાવિ જીવનોમાં ઉચ્ચજાતિ અને દિવ્યરૂપ વગેરે મેળવવું છે તો સ્વપ્રશંસા અને પરનિંદાના પાપથી બચો.
For Private And Personal Use Only