________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૪
પ્રશમરતિ જાતિના... અમે અગ્રવાલ જાતિના! અમારી જાતિ ઉચ્ચ કહેવાય. બીજા બધા નીચ જાતિના!”
વર્ણાશ્રમમાંથી પણ ઉચ્ચ-નીચના ભેદ જન્મ્યા છે. “અમે બ્રાહ્મણ એટલે ઉચ્ચ જાતિના! અમે ક્ષત્રિય એટલે ઉચ્ચ જાતિના! અમે વૈશ્ય એટલે ઉચ્ચ જાતિના.... અને શુદ્ર એટલે નીચ જાતિના!” ભલે પછી બ્રાહ્મણ હોવા છતાં ચોરી કરતો હોય, વ્યભિચાર કરતો હોય, સુરાપાન કરતો હોય! છતાં જાતિનું અભિમાન પૂરેપૂરી ભલે ક્ષત્રિય હોય, ભલે એ પ્રજાનું રક્ષણ ન ફરતાં હોય, પ્રજાને રંજાડતો હોય, એશઆરામ અને રંગરાગમાં ડૂબેલો હોય, પરંતુ જાતિનું અભિમાન પાર વિનાનું વૈશ્ય હોય, પોતાની જાતિનો ભારે ગર્વ ધારણ કરતાં હોય.... અને આચરણ અનીતિ-અન્યાય અને અપ્રામાણિકતાનું હોય!
નથી ઓસવાલપણું કાયમ રહેવાનું કે નથી પોરવાડપણું અને શ્રીમાલીપણું કાયમ રહેવાનું... કમ ઉપાડીને પશુયોનિમાં પટકી દેશે, ત્યાં તમારું ઓસવાલપણું નથી રહેવાનું કે પરવાપણું નથી રહેવાનું. તો શું ક્ષત્રિયપણું કે બ્રાહ્મણપણું શાશ્વત્ રહે છે? ના રે ના, ક્ષત્રિય મરીન શૂદ્ર જાતિમાં જન્મે છે અને શુદ્ર મરીને બ્રાહ્મણ થઈ શકે છે. વૈશ્ય મરીને શૂદ્ર બની શકે છે અને શુદ્ર મારીને વૈશ્ય થઈ શકે છે! કોઈ જાતિ શાશ્વતું નથી. જે જાતિનો તમે તિરસ્કાર કરશો, ઘણા કરશો, એ જ જાતિમાં કર્યો તમને “ટ્રાન્સફર” કરશે, તમને આ જાતિમાં જન્મ આપશે. માટે જાતિનું અભિમાન ત્યજી દો,
ફુલ મદ
रूपवलश्रुतमतिशीलविभवपरिवर्जितांस्तथा दृष्ट्वा । विपुलकुलोत्पन्नानपि ननु कुलमानः परित्याज्य: ।।८३ ।।
यस्याशुद्धं शीलं प्रयोजनं तस्य किं कुलमदेन?
स्वगुणालंकृतस्य हि किं शीलवत: कुलमदेन ।।८४ ।। અર્થ : લોકપ્રસિદ્ધ મોટા કુળમાં ઉત્પન્ન થયેલાઓને પણ રૂપરહિત, બળરહિત, જ્ઞાનરહિત, બુદ્ધિરહિત, સદાચારરહિત અને વૈભવરહિત જઈને અવશ્ય કુળનાં મદ પરિહરવો જોઈએ.
જેનું શીલ (સદાચાર) અશુદ્ધ છે, તેણે કુળમદ કરવાથી શું? જે પોતાના ગુણોથી વિભૂષિત છે, તે શીલવાનને કુળમદ કરવાથી શું?
For Private And Personal Use Only