________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિતકારી વચનની અવગણના
૧૪૧ તિરસ્કારી નાંખવાનાં, એવી રીતે બળનું, લાભનું, લોકપ્રિયતાનું, શ્રુતજ્ઞાનનું અભિમાન પારમાર્થિક માર્ગને જોવા પણ દેતું નથી, પછી એ માર્ગે ચાલવાની તો વાત જ શી કરવી! મદોન્મત્તતા મનુષ્યને ભીષણ ભવભ્રણમાં ભટકાવે છે.
બીજી એક મહત્ત્વપૂર્ણ વાત ગ્રન્થકાર અહીં કહે છે; આવા રાગ-દ્વેષથી ઉદ્ધત બનેલા મનુષ્યોને વિનવ' કહી દીધા! નિઃસત્ત્વ નિર્વીર્ય! રાગી, તેથી અને અભિમાની મનુષ્યોમાં સત્ત્વ હોતું નથી, વીર્ય હોતું નથી. ઘણી ગંભીર વાત છે આ, કારણ કે આવા જીવોનાં મનમાં એક ભ્રમણા હોય છે : “અમે શક્તિશાળી છીએ! અમે બહાદુર છીએ! અમે જ સત્ત્વશીલ છીએ!' આ મિથ્યા ભ્રમણાને ગ્રન્થકાર ભાંગીને ભૂક્કો કરી નાખે છે.
રાગના ધસમસતા પુરમાં નિઃસર્વ મનુષ્યો તણાઈ જાય છે. સાત્ત્વિક મનુષ્ય ભયંકર પૂરમાં પણ તણાતો નથી. તે તો તરીને સામે કાંઠે પહોંચી જાય છે. કંપની ભડભડતી આગમાં નિર્વીર્ય મનુષ્યો સળગી જાય છે. વીર્યશાળી વીર પુજ્યોને એ આગ સ્પર્શ પણ કરી શકતી નથી. મહાત્મા દઢપ્રહારીની આસપાસ લોકોએ કંપની આગ સળગાવી હતી ને. એ મહાત્માને એક ઝાળ પણ સ્પર્શ શકી નહીં. કારણ? એ મહાન સત્ત્વશીલ મહાત્મા હતા. મહામુનિ રામચન્દ્રજીની આસપાસ સીતેન્દ્ર રાગનાં પૂર ફેલાવ્યા હતા.... અપૂર્વ સત્ત્વને ધારણ કરનારા મહામુનિ શાના તણાય એ પૂરમાં? રાગનાં પૂરને અસર જ છૂટકો. મહાત્માનું સત્ત્વ ન આસર.
જ્ઞાનીપુરસ્પોની દિવ્યદૃષ્ટિમાં રાગી-બી અને મદોન્મત્ત પુરુષો નિઃસત્ત્વ છે, નિવર્ય છે; રાગ-દ્વેષરહિત અને મદરહિત પુરુષો સત્ત્વશીલ છે. જેઓ ઉચ્ચ જાતિમાં અને ઉચ્ચ કુળમાં જન્મેલા છે છતાં જેમને જાતિ અને કુળનો મદ નથી. અદ્દભુત રૂપ ધારણ કરનારા હોવા છતાં રૂપનો ગર્વ નથી. અજેય બળ હોવા છતાં બળનું અભિમાન નથી. તેઓ ઇચ્છે તે તે વસ્તુઓ તેમને મળતી હોવા છતાં લાભનો ગર્વ નથી, બૃહસ્પતિને શરમાવે તેવી બુદ્ધિ હોવા છતાં બુદ્ધિનું અભિમાન નથી, અત્યંત લોકપ્રિય હોવા છતાં લોકપ્રિયતાનો ગર્વ નથી, અગાધ શ્રુતજ્ઞાન હોવા છતાં જ્ઞાનનો ઉત્કર્ષ નથી. આવા મહાપુરુષો જ સત્ત્વશીલ છે, આવા જ ઉત્તમ પુરુષો પરમાર્થને જાણે છે, જુએ છે અને પામે છે.
મોક્ષમાર્ગની આરાધનામાં આ આઠ મદો કેવા ભયંકર શત્રુઓ છે? એ શત્રુઓને જીતવા અનિવાર્ય છે, અન્યથા આ મદોનો ઉન્માદ જીવોને દુર્ગતિમાં કેવા પછાડે છે? કરોડો જન્મ ભટકાવે છે?... આ બધું ગ્રન્થકાર વિસ્તારથી આ ગ્રન્થમાં સમજાવે છે. સમજાવીને મદને ત્યાગ કરવાની પ્રેરણા આપે છે....
For Private And Personal Use Only