________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વકલ્યાણનું ભાજન : વિનય
૧૨૭
અનેક શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કરવાના. એકાગ્ર ચિત્તે જિજ્ઞાસુ હૃદયથી અને જ્ઞાનપ્રાપ્તિના ઉમળકાથી તમે માત્ર શાસ્ત્રોના શબ્દાર્થ જ નહીં, શાસ્ત્રોનાં રહસ્ય પામવાના. તમારા વિનયથી ઊઘડી ગયેલાં ગુરુહ્રદયનાં દ્વારોમાંથી એવી અવનવી, ગંભીર અને રહસ્યભૂત વાતો તમને મળવાની કે જે મેળવીને તમે નાચી ઊઠવાના.
અવિનીત શિષ્યની સમક્ષ ગુરુનું હ્રદય ખૂલતું જ નથી. શાસ્ત્રોની રહસ્યભૂત વાર્તા હૃદયમાંથી નીકળતી જ નથી. માત્ર કર્તવ્યનું પાલન કરવા જ ગુરુ જ્ઞાન આપે.
શાસ્ત્રજ્ઞાનના પ્રકાશમાં તમે હેય, જ્ઞેય અને ઉપાદેય તત્ત્વોને જોવાના, મારે શાનો ત્યાગ કરવો જોઈએ? મારે શાનો સ્વીકાર કરવો જોઈએ ? મારે શું શું જાણવું જોઈએ?' આ સમજણ મળવાની શાસ્ત્રજ્ઞાનમાંથી. જે અહિતકારી તત્ત્વો છે, એને અહિતકારીરૂપે સમજાવે છે શાસ્ત્રો. જે હિતકારી તત્ત્વો છે, એને હિતકારીરૂપે ઓળખાવે છે શાસ્ત્રો.
વિનયપૂર્વક સદ્ગુરુ પાસેથી મેળવેલું શાસ્ત્રજ્ઞાન મનુષ્યની સુષુપ્ત ચેતનાને ઢંઢોળે છે, એના અન્તરાત્માને સ્પર્શ કરે છે. માત્ર થોથામાંથી માથામાં જ્ઞાન ઠલવાતું નથી, પરંતુ હૃદયની કોમળ ભૂમિમાં એ જ્ઞાનવારિ પહોંચે છે અને એ ભૂમિમાં પચી જાય છે. ત્યાજ્યનો ત્યાગ કરવાની ભાવના માત્ર જાગીને જ નથી અટકી જતી, પરંતુ ત્યાજ્યનો ત્યાગ કરાવીને જ અટકે છે. સ્વીકાર્યનો સ્વીકાર કરવાની ભાવના ભાવનારૂપે જ નથી રહેતી, એ ભાવના કાર્યરૂપે પરિણત થઈ જાય છે. આત્માનું સંકલ્પબળ જાગ્રત થાય છે. પાપોનો ત્યાગ કરવાનો તે સંકલ્પ કરે છે, પ્રતિજ્ઞા કરે છે, આશ્રવોનાં દ્વાર બંધ કરે છે.
પાપોથી વિરામ પામવું તેનું નામ વિરતિ. પાોમાં કોઈ રતિ નહીં! ખુશી નહીં. હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મસેવન અને પરિગ્રહ; આ પાંચ મહાપાપોનો એ મન, વચન અને કાયાથી ત્યાગ કરે છે. આ વિરતિધર્મનું ફળ છે આશ્રવોનો નિરોધ. જો કે વિરતિનું સ્વરૂપ જ આશ્રોના નિરોધરૂપ છે, પરંતુ અહીં ગ્રન્થકારે વિરતિના ફળરૂપે આશ્રવાનો નિરોધ બતાવ્યો છે, તે ગ્રન્થકારની પોતાની એક દિષ્ટ છે. વિરતિધર્મ સ્વીકાર્યો એટલે અવિરતિના આશ્રવને રોક્યો, અવિરતિના આશ્રવ દ્વારા થતો અભિનવ કર્મબંધ અટકી ગયો.
આશ્રવાનાં દ્વારોમાંથી કર્મો આત્મામાં વહી આવે છે. ફર્મોને આત્મામાં પ્રવેશવાના માર્ગો આશ્રવ છે... એક આશ્રવ નથી, અનેક છે. મુખ્ય આથવો
For Private And Personal Use Only