________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુષ્પતિકાર્ય ઉપકારીઓ
૧૨૫ ગુરુ જે આધ્યાત્મિક ઉપકાર કરે છે , તે ઉપકારોનું મૂલ્ય આંકી શકાતું નથી, તે અમૂલ્ય હોય છે. તેઓ જે સન્માર્ગના ઉપદેશ આપે છે, શાસ્ત્રોનું જ્ઞાન આપે છે અને ભવસાગરથી પાર ઉતારવાનો પુરુષાર્થ કરે છે તે ઉપકારો સામાન્ય નથી, અસાધારણ છે. યોગીશ્વર આનંદઘનજી પરમાત્મા સંભવનાથની સ્તવનામાં કહે છે : ‘પરિચય પાતકઘાતક સાધુ શું રે, અકુશળ અપચય ચેત.”,
સાધુપુરુષોનો પરિચય જનમજનમનાં પાપોનો નાશ કરે છે, અશુદ્ધ ચિત્તને શુદ્ધ કરે છે. પાપનાશ અને ચિત્તશુદ્ધિ-આ બે મહાન ઉપલબ્ધિઓ છે. આવી દુર્લભ ઉપલબ્ધિ કરાવનારા ગુરુદેવ પ્રત્યે અખંડ આંતર બહુમાન બન્યું રહે તો જન્માંત્તરમાં પરમ ગુરુની પ્રાપ્તિ થાય. ગુરુ-બહુમાન પરમ-ગુરુની પ્રાપ્તિનું બીજ છે. ગુરુ બહુમાનથી તેવી પુણ્યસંપત્તિ પ્રાપ્ત થાય છે અને એ પુણ્યસંપત્તિ મનુષ્યને સર્વજ્ઞ પરમાત્માનો પરિચય કરાવી દે છે. એ પરિચય નિષ્ફળ નથી જતાં, મધ્યપ્રાપ્તિ કરાવી દે છે. પરમ સુખ અને પરમાનંદ પમાડી દે છે.
મહાન ગ્રૂતર આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી કહે છે : ‘ભવક્ષયનું અસાધારણ કારણ છે મારા આ ગુર” આવો શોભન ચિત્તપરિણામ ગુરુ પ્રત્યેનું સાચું બહુમાન છે. શિષ્ય સદેવ પરમ ઉપકારી ગુરુદેવના ગુણાનું દર્શન કર, ગુણોનું સ્મરણ કરે. ગુણમય વ્યક્તિત્વ પ્રત્યે બહુમાન ધારણ કરે. આ રીતે મોક્ષબીજનો સંગ્રહ કરે. ગુના ઉપકારાને ભક્તિભર્યા હૈયે સંભાળે. મોક્ષમાર્ગની યાત્રામાં ગુરુતત્ત્વ'ની મહત્તા સમજનારો શિષ્ય ક્યારેય એ તત્વની અવગણના ન કરે. છે કે ગુનો અવાં પુણ્યપ્રકર્યું હોય કે શિષ્યો એમના ચરણકમળે ભ્રમર બનીને ગુંજારવ કરતા જ રહ. ગુરુના મુખચંદ્રની એવી શીતળતા હોય કે શિષ્યોનાં હૃદય મયુર બનીને નૃત્ય કરતાં રહે.
ગુરુના અનંત લોકોત્તર ઉપકારનો બદલો વાળવા શિષ્ય કમર કસે.... ભલે ગુ. દુશ્મતિ કાર્ય હોય, છતાં કૃતજ્ઞ શિષ્ય મન-વચન-કાયાથી પ્રત્યકાર કરવા તત્પર જ રહે. વિનય અને બહુમાનને સદૈવ હૃદયસ્થ કરીને ગુરુની આરાધનામાં ઉજમાળ રહેનાર શિષ્ય કેવી દિવ્ય આત્મસંપત્તિ પામે છે, એ વાત ગ્રન્થકાર સ્વયં જ હવે બતાવે છે.
૧૦
For Private And Personal Use Only