________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરતિ પ્રમાદી, આળસુ અને ડરપોક માણસોની વાતોને કાને ધરતી નથી. શું એ જંગલના નાકે ગામલોકોએ શ્રમણ ભગવાન મહાવીરને નહોતું કહ્યું કે “મહાત્મા, આ રસ્તે ન જશો. આ રસ્તે ગયેલું કોઈ પાછું આવ્યું નથી. આ રસ્તે એક ભયંકર સાપ રહે છે, જેની સામે એ જુએ છે, તે બળીને રાખ થઈ જાય છે...... શું મહાવીરે એ વાતને કાને ધરી હતી? ના, એ જ રસ્તે મહાવીર ગયા. સાપ મળ્યો પણ ખરો અને ડંખ પણ દીધા! છતાં એ મહાવીરના દેહને રાખ ન કરી શક્યાં. મહાવીરે એના રોપની રાખ કરી નાંખી!
પેલા મહામુનિ નંદિપેણ! મગધનો એ રાજકુમાર ભગવાન મહાવીરના ઉપદેશથી જાગ્રત થયો... એણે પોતાના આત્માને અનંત અનંત દોષો અને કર્મોની જાળમાં ફસાયેલો જોયો.... “આ જાળને છેદી નાંખું.. નિબંધન અને નિરાબાધ બનું... મુક્ત બનું..... આ ઉત્સાહ પ્રગટી ગયો. દેવીએ જ્યારે આવીને કહ્યું-નંદિપેણ, હજુ તારે સંસારનાં ભોગ સુખ ભોગવવાનાં બાકી
છે... ચારિત્ર-માર્ગે જવાની ઉતાવળ ન કર.... નંદિષેણે ન માન્યું. “ગમે તે કમાં ઉદયમાં આવે, હું લડી લઈશ એ કર્મો સામે, હું આત્મા છું, અનંત શક્તિનો માલિક છું.” ભગવાન મહાવીરદેવના સાંનિધ્યમાં, એમના શિષ્ય બનીને પ્રબળ પુરુષાર્થ આરંભી દીધો. એ પ્રબળ પુરુષાર્થનું સ્પષ્ટ સ્વરૂપ ગ્રંથકાર મહર્ષિ બતાવે છે.
૨. દર્શન-ચરિત્ર-તપ-સ્વાધ્યાય અને ધ્યાનથી યુક્ત : તત્ત્વાર્થશ્રદ્ધાને સીનિ ! તત્ત્વ અને અર્થની શ્રદ્ધા એ સમ્યગદર્શન છે. જો તમારે સમ્યગ્દષ્ટિ બનવું છે તો તમારે તત્ત્વ અને તત્ત્વોના અર્થ બંનેને માનવા પડશે, બંને પર શ્રદ્ધા ધરવી જોઈએ. ભગવાન મહાવીરે ત્રણ પ્રકારનાં તત્ત્વો બતાવ્યાંય, શેય અને ઉપાદેય, છોડવા જેવાં, જાણવા જેવાં અને સ્વીકારવા જેવાં. ભગવાને એ છોડવાનો, જાણવાનો અને સ્વીકારવાનો અર્થ સમજાવ્યો મુનિ નંદિષણે એ અર્થને બુદ્ધિપૂર્વક અને હૃદયપૂર્વક સ્વીકાર્યો. કર્મોની મહાજાળને ભેદવા આ કરવું જ પડે. નંદિપેણે તે કર્યું. એણે રાજમહલ, વૈભવસંપત્તિ અને પાંચ ઇન્દ્રિયોનાં વિષયસુખો છોડ્યાં. મનથી પણ આ બધું ઉતારી દીધું. એણો આત્મતત્ત્વને જાયું. એ પરમ-તત્ત્વને પામવા એણે ચારિત્ર સ્વીકાર્યું. તપશ્ચર્યા સ્વીકારી, જ્ઞાનોપાસના આદરી અને ધ્યાનમાં ખોવાઈ ગયા! આ દરેકનો અર્થ છે! આંધળા બનીને કે સમૂછિમ બનીને આ બધું કરવાનું નથી. ખુલ્લી આંખે અને સતત જાગૃતિ સાથે આ પુરુષાર્થ કરવાનો છે. તેથી જે હેય
For Private And Personal Use Only