________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યક્તિત્વને જરીયે આંચ નથી આવી. લગભગ બીજા જ પ્રકરણથી એ વાચકના દિલોદિમાગ પર છવાવા માંડે છે, બલ્ક ક્યારેક તો કનકરથના વ્યક્તિત્વ કરતાંયે ઋષિનું વ્યક્તિત્વ વધુ વિસ્તૃત અને ઉન્નત લાગે છે. વિશેષ કરીને એના દુ:ખના દિવસોમાં રાજકુમાર જીવનથી નિરાશ થઈ મૃત્યુની માંગ ભરવા તૈયાર થઈ જાય છે, જ્યારે બીજી બાજુ, “ઋષિ એટલી જ સ્વસ્થતાથી.... સહજતાથી પરિસ્થિતિને સ્વીકારી લે છે. એને મૃત્યુનો વિચાર સરખોયે નથી આવતો. આ જ એના વ્યક્તિત્વનો વિજય છે કનકરથ પર!
આ વાર્તા વાંચીને જો તમારી આંખો ભીની ના બને, એક ઊંડો નિસાસો તમારી ભીતરમાંથી ના ઊઠે, તો હું કહી શકું કે તમે ક્યારેય વિશુદ્ધ પ્રેમને માણી નહીં શકો. જાણી નહીં શકો. પછી પ્રેમની પ્રગાઢતાને માણવાની તો વાત જ ક્યાં રહે? ભૂજ – સ્નેહદીપ તા. ૧૫-૧૦-૮૦
For Private And Personal Use Only