________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંપણે બાંધ્યું પાણિયારું
૧૪૫ આચાર્ય ભગવંત પધાર્યા છે, તેઓનાં દર્શન કરવા અને તેમનો ઉપદેશ સાંભળવા સહુ ઉદ્યાનમાં જાય.'
હું અને ઋષિદના અમારા પરિવાર સાથે ઉદ્યાનમાં પહોંચ્યાં. આચાર્ય ભગવંતનાં દર્શન કરતાં શરીર રોમાંચિત થઈ ગયું. હૈયું ગદ્ગદ્ થઈ ગયું. અમે વિનયપૂર્વક તેઓનો ઉપદેશ સાંભળવા બેસી ગયાં.
આચાર્યદેવ હૃદયસ્પર્શી ઉપદેશ આપ્યો. તેઓનો એક એક શબ્દ અમારા રાગ-દ્વેષનાં ઝેર ઉતારી રહ્યો હતો... અમારાં મન પ્રફુલ્લિત થઈ ગયાં. આત્મભાવ ખૂબ નિર્મળ બન્યો. ઉપદેશ પૂરો થયા પછી, ઋષિદત્તાએ મસ્તકે અંજલિ જોડી આચાર્યદેવને પ્રશ્ન પૂછયો :
હે કૃપાવંત, મેં પૂર્વભવમાં એવું ક્યું પાપકર્મ આચર્યું હતું કે જેના પરિણામે આ જીવનમાં મારા ઉપર “રાક્ષસી'નું કલંક આવ્યું આપ જ્ઞાની મહાપુરુષ છો.... ભૂતકાળ અને ભવિષ્યકાળ આપના જ્ઞાનમાં પ્રત્યક્ષ છે.... શું આપ મારી જિજ્ઞાસાને સંતોષવાની કૃપા કરશો?
આચાર્ય ભગવંતે આંખો બંધ કરી. થોડીક ક્ષણો મૌન પથરાયું. સમગ્ર પર્ષદા ઋષિદત્તાના પ્રશ્નનો ઉત્તર સાંભળવા આતુર હતી, આચાર્યશ્રીએ આંખો ખોલી અને ઋષિદત્તાને સંબોધીને કહ્યું :
હે પુણ્યશાલિની, તારા પૂર્વજન્મનો વૃત્તાંત સાંભળ.”
આ જ ભારતમાં ગંગાપુર નામનું નગર છે. તેમાં ગંગાદત્ત નામનો રાજા રાજ્ય કરતો હતો. તેની રાણીનું નામ ગંગા હતું. તેમની પુત્રીનું નામ ગંગાસેના
હતું.
ગંગાપુરમાં ચન્દ્રયશા નામનાં સાધ્વી પધાર્યા. ગંગાસેના સાધ્વીજીના પરિચયમાં આવી. સાધ્વીજીના ઉપદેશથી ગંગાસેનાને સંસારનાં વૈષયિક સુખો અસાર લાગ્યાં. એ વધુ સમય સાધ્વીજીના સાન્નિધ્યમાં પસાર કરવા લાગી.
એ નગરમાં સંગા નામની એક શ્રાવિકા હતી. એ પણ સાધ્વીજીના પરિચયમાં આવવાથી ધર્મના રંગે રંગાઈ, એણે એક મહિનાના ઉપવાસ શરૂ કર્યા, નગરમાં એની ખૂબ પ્રશંસા થવા લાગી. નગરવાસી લોકો સંગાનાં દર્શન માટે આવવા લાગ્યાં.
ગંગાસેનામાં ઈર્ષ્યા જાગી. સંગાની પ્રશંસા સાંભળી શકતી નથી. રાતદિવસ ઈર્ષ્યાથી તે બળે છે. સંગાની પ્રશંસા થતી બંધ કરાવવા માટે એ ઉપાય વિચારવા લાગી! ગંગાસેના વિષયો પ્રત્યે વિરક્ત જરૂર હતી, પરંતુ તેનામાં
For Private And Personal Use Only