________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૪
પાંપણે બાંધ્યું પાણિયારું ઋષિદત્તા મૌન થઈ ગઈ. મારી દષ્ટિ દૂર દૂર અંધકાર તરફ મંડાઈ ગઈ. નગરમાં દીપકો પ્રગટી ગયા હતા. અંધકારમાં એ દીપકોનો પ્રકાશ મનને ગમી ગયો. પરંતુ આજે મન સ્વસ્થતાથી અને ગંભીરતાથી ચિંતન કરી રહ્યું હતું.
ખરેખર, મને ક્યારેક આ રાજમહેલ... આ વૈભવ.... આ સ્નેહીસ્વજનો.. આ બધું જ છોડીને સંયમના માર્ગે ચાલી નીકળવાની તીવ્ર ઇચ્છા થઈ આવે છે. વળી મન પાછું મોહમાયામાં લપેટાઈ જાય છે....' | ઋષિદત્તા બોલી અને તેણે મારી સામે જોયું. ખંડમાં દીપકો પ્રગટી ગયા હતા. મેં ઋષિદત્તાની આંખોમાં વૈરાગ્યનું પ્રતિબિંબ જોયું. તેના મુખ પર અનાસક્તિના પડછાયા જોયા.
જેવી તારા મનની સ્થિતિ છે એવી મારા મનની સ્થિતિ છે... એમાંય જ્યારે સંસારની દુઃખદ ઘટનાઓ જોવા મળે છે, સાંભળવા મળે છે, ત્યારે તો મન તીવ્ર વૈરાગ્ય અનુભવે છે. ક્યારેક તો રાત્રે કલાક-બે કલાક સુધી આત્મચિંતન ચાલ્યા કરે છે. સંસાર સ્વપ્નવત્ ભાસે છે... આત્માનું શુદ્ધ સ્વરૂપ ખૂબ ગમે છે.... સહજ રીતે આત્મધ્યાનમાં ડૂબી જવાય છે....”
“નાથ, આપણા વિચારો.... આપણા આદર્શો.... કેટલા બધા સમાન છે! નાથ, આપણે આ જ જીવનમાં શું એવો પુરુષાર્થ ન કરી લઈએ કે સંસારપરિભ્રમણનો જ અંત આવી જાય! સર્વ કર્મોનો નાશ થઈ જાય.... આત્મા સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈ જાય!”
કેમ ન થઈ શકે એવો પુરુષાર્થ? આપણો દઢ સંકલ્પ હોય તો એવો ધર્મપુરુષાર્થ અશક્ય નથી....'
મોડી રાત સુધી અમારો આવો આધ્યાત્મિક વાર્તાલાપ ચાલતો રહ્યો. અમારા બંનેનાં હૃદય કોઈ અગમ્ય આનંદથી છલકાઈ ગયાં હતાં. શ્રી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતાં નિદ્રાધીન થયાં.
બીજા દિવસે ઊઠીને પ્રાભાતિક કાર્યોથી નિવૃત્ત થઈને બેઠો હતો, ત્યાં ઉદ્યાનપાલકે નમન કરીને કહ્યું :
મહારાજા, કુસુમાકર ઉદ્યાનમાં એક પ્રભાવસંપન્ન આચાર્ય ભગવંત, શિષ્ય પરિવાર સાથે પધાર્યા છે. તેઓ વિશિષ્ટ જ્ઞાની પુરુષ છે. એવું તેઓના બે શિષ્યો પાસેથી જાણવા મળ્યું છે.'
મારા આનંદની અવધિ ન રહી. મેં વનપાલકને સુવર્ણનાં આભૂષણ ભેટ આપ્યાં અને નગરમાં જાહેર કરાવ્યું કે “કુસુમાકર ઉદ્યાનમાં મહાન જ્ઞાની
For Private And Personal Use Only