________________
નહિ એસો જનમ બાર-બાર
પણ નહિ ફળ; ધર્મશ્રદ્ધા નહિ જાગે; સર્વવિરતિધર્મનું તો સોણલું પણ નહિ આવે.
પુણ્યનો ઉદય થાય ત્યારે બંગલા, મોટરો વગેરેના જાજરવાન વૈભવ મળે; કદાચ સસ્તુ માનવજીવન પણ મળે; પરંતુ મહા મહાપુણ્યનો ઉદય થાય ત્યારે જ આર્યદેશમાં સુંદર માનવ જીવનની પ્રાપ્તિ થાય.
પરંતુ આવું માનવજીવન પામ્યા પછી પણ જો મહાપાપનો ઉદય જાગી જાય તો ભોગસામગ્રી પ્રત્યે કૂણી લાગણી જાગે; ભોગ-જીવનનો પક્ષપાત જાગે.
હાય! મહાપુણ્યના ઉદયે મળેલા માનવજીવનમાં મહાપાપોદય થતાં, ભોગનો પ્રેમ જાગી ગયો!
આ તો સોનાની થાળીમાં લોઢાની મેખ મરાઈ! હરિયાળાં ખેતરો ઉપર તીડનાં ધાડાં તૂટી પડયાં! માવઠું થયું! હિમપાત થયો!
જો જલદી જાગતા નથી મહાપુણ્યના ઉદય; તો જલદી દોડી આવતા નથી મહાપાપના ઉદય.
તે માનવ અત્યંત દયાપાત્ર છે જેને બે ય દુર્લભ ચીજો પ્રાપ્ત થઈ ગઈ! આર્ય માનવનું જીવન! અને ભોગનો અપાર પ્રેમ!
મહાપુણ્યનો દુર્લભ ઉદય જ સારો... મહાપાપનો દુર્લભ ઉદય તો સ્વપ્ન પણ નહિ ઈચ્છવા જેવો.
માનવનો જન્મ પામતાં જ જીવનની જે ઊજળી ચાદર પ્રાપ્ત થઈ; કેટલાક વર્ષો સુધી ઊજળી પણ રહી.... એને નાના મોટા પાપોની-કાજળથી કાળી યાવતુકાબરચીતરી કેમ કરી શકાય?
ના.... ઉજવળને મલિન-મહોતાં કરતાં ય મેલું–કરી દેવા માટે આ જન્મ નથી; આ જીવન પણ નથી; આ મરણ પણ નથી.
નહિ મળે... ફરી ફરીને ઉત્તમોત્તમ ધર્મસામગ્રીથી સભર માનવજીવન ફરી ફરીને નહિ જ મળે.
આજે જ સંકલ્પ કરજો કે, દુર્લભ અમારા માનવજીવનની ચાદરને અમે હવે પશ્ચાત્તાપના નીરથી ધોઈને, ઊજળી કરીને જ જંપશું. પછી એને ક્યારેય પાપના કાજળે મલિન નહિ જ થવા દઈએ. ખામોશ! દુર્લભ એવા માનવજીવનને દુર્લભ માનીને જીવશો તો બેશક; એ સુલભ બની જવાનું છે. એ તો જે એના માટે બેકદર છે; એને સુલભ માને છે; એને જ એ દુર્લભ છે.
આ ગ્રંથમાં જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ લખાયું હોય તો અંતઃકરણથી મિચ્છામિ દુક્કડે માંગીને વિરમું છું.
- મુનિ ચન્દ્રશેખરવિજયજી
(વર્તમાન પં. ચન્દ્રશેખરવિજયજી) ઉપરીઆળાજી તીર્થ (શાશ્વતીઓની આરાધન) ૨૦૨૮, ચૈત્રી પૂર્ણિમા