SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ નહિ એસો જનમ બાર-બાર સાધુ જીવનને હજી કોઈ અડી શકે તેમ નથી ગુલામીખત ક્યાં નથી લખાયું? એ જ પ્રશ્ન છે. કોણ? કોનો ગુલામ નથી? આશાનો દાસ; સર્વનો દાસ. બાપ! દીકરાનો ગુલામ! ધણી! ધણીઆણીનો ગુલામ ! મા! દીકરીની ગુલામ! સાસુ ! વહુની ગુલામ! શેઠ! નોકરનો ગુલામ! શિક્ષક! વિદ્યાર્થીનો ગુલામ! બુદ્ધિજીવીઓ! સરમુખત્યારોના ગુલામ! ઈન્કમટેક્સ ઓફીસરોની કરડી નજરોનો; સત્તાધારીઓની ધાકધમકીનો; સાહેબોની તાનાશાહીનો તો કોઈ આરોવારો જ નહિ. મોંઘવારી, બેકારી; અંધાધૂંધી; અરાજકતા, હડતાલો, ધરણાંઓ; સત્યાગ્રહોથી છાશવારે ને છાશવારે જીવન સ્થગિત થઈ જાય! મન બેચેન બની જાય. આવી સ્થિતિમાંય સુખી છે એકમાત્ર જૈન સાધુ. સાચી સાધના કરતાં સાધકો! એ સાધકો જ આર્યસંસ્કૃતિની રક્ષા કરી શકશે; કેમકે નીડરપણે બોલવાની તાકાત હજી એમનામાં તો રહી જ છે. - અહીં કોઈનું કશું ચાલે તેમ નથી. એમને બોલતા કે લખતાં બંધ કરી દેવા ગમે તેવી ધમકી આપો.... નિષ્ફળ જ જવાની છે. તમે કહેશો કે, “તમારા બાળબચ્ચાંને ભૂખ્યા મરવાના દિવસો લાવી દઈશ.” તે કહેશે; “પણ મારે બાળબચ્ચા છે જ નહિ ને?” “તારા ઘરના તાળા ઉપર સીલ મારી દઈશ. ઉત્તર : “મારે ઘરબાર છે જ નહિ ને. “ઓ સાધુ! તને મારી નાંખીશ.” ઉત્તર : પણ આત્મા મરતો જ નથી ને? કેવી ધન્ય રક્ષકતા હજી પણ જીવી રહી છે? અફસોસ! તો ય રક્ષકોને એનો લાભ જ ઉઠાવવો ન હોય ત્યાં શું થાય?
SR No.008915
Book TitleNahi Aiso Janam Bar Bar
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2009
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size809 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy