SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ નહિ એસો જનમ બાર-બાર ૧૮૧ તો હોય જ. એ સાવધાની વિના એમનું “સારાપણું ટકી શકે જ નહિ. જેમને પોતાનું સારાપણું ટકાવી રાખવું હોય એમણે દરેક પળે સાવધાન રહેવું જ પડે. શેનાથી સાવધાન રહેવાનું? બધાયથી. પૈસા, વેપાર, કુટુંબ-પરિવાર, શરીર... બધાયથી, સદેવ-સર્વ પળે સાવધાન રહેવાનું. ભલે એ બધી વસ્તુઓથી એનો સંસાર ચાલતો હોય પણ એમાં “સારા” બની રહેવા માટે તો બધાયથી સાવધાન રહેવું જ ઘટે. મદારી કેવો સાવધાન રહી સાપ સાથે રમત રમે છે? આજીવિકાનું સાધન સાપ છે એવું જાણીને જ એની સાથે રહે છે; પણ એનાથી સાવધ કેટલો હોય છે? મહાપુરુષોએ આ સંસારને પણ ઝેરી સાપ અગ્નિ વગેરે ઉપમાઓથી નવાજ્યો છે. એમાં જે સાવધાન રહે તે જ “સારો' બની રહે. બાકીના લોકોનું જીવન તો ઝેરમય, ઝાળમય બનીને બરબાદ થયા વિના રહી શકે જ નહિ. સંસારમાં રહેવું અને સાવધાન રહીને રમતો રમવી એ કેટલું કઠિન છે એ તો એવા સારા સંસારીઓ જ જાણી શકે. માલિક મટી મહેમાન બનો સર્વ દુઃખો અને સર્વપાપોનું મૂળ “મમતા' કહી છે. મમતા એટલે જ માલિકીનો દાવો. શું તમે તમારા ઘરના, ધનના, સ્ત્રીના, પુત્રાદિ પરિવારના માલિક છો? ના જરાય નહિ. તમારામાં માલિકનું લક્ષણ જ નથી પછી તમે માલિક બની શકો જ નહિ. આમ છતાં જો માલિકીનો દાવો કરવા જશો તો આ ભવમાં અને ભવોભવમાં માર ખાવાની તૈયારી રાખવી પડશે. હકીકતમાં તમે મહેમાન છો. મહેમાનપણાનું લક્ષણ જ તમારામાં બરોબર ઘટી જાય છે. માલિક કોને કહેવાય? જે કાયમ માટે અમુક વસ્તુનું સ્વામિત્વ ધરાવવાનો
SR No.008915
Book TitleNahi Aiso Janam Bar Bar
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2009
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size809 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy