________________
નહિ ઐસો જનમ બાર-બાર
૧૨૯
માટે “અપાત્ર” કહીને દૂધ દેવાતું નથી.
ખાંસીના દર્દી બાળકોને પીપરમીંટ ખાવાની તીવ્ર ભાવના છતાં, “પીપરમીંટ ખાવા માટે નાલાયક' કહીને અવગણી નાખવામાં આવે છે.
ટ્રેનમાં મુસાફરી કરવાની ભાવના ચાલતી જ નથી, ટિકિટ મેળવ્યાની પાત્રતા પણ જોવી પડે છે.
આ વસ્તુસ્થિતિ હોવા છતાં ધર્મના ક્ષેત્રમાંથી કોણ જાણે પાત્રતાના વિચારની હકાલપટ્ટી થઈ રહી છે. ‘ભાવના હોય એટલે જ ધર્મ કરવા લાયક' એવો અવાજ હવે તો ચારે બાજુથી ઊઠવા લાગ્યો છે.
મને તો લાગે છે કે અપાત્રોને પણ ધર્મના ક્ષેત્રોમાં ઘુસાડી દઈને ધર્મનો નાશ કરી દેવા માટેનું આ કોઈ ભેદી કાવતરું જ હોવું જોઈએ.
ભાવનાવાદના ઝેરથી જો કોઈ ધર્મ બચવું જ હોય તો તેણે પાત્રતાના સનાતન સિદ્ધાંતને ચુસ્ત રીતે વળગી જ રહેવું પડશે.
હજારો અપાત્રોના ધર્મપ્રવેશથી સંખ્યાવધારો થશે પણ ધર્મનો જ મૂળમાંથી નાશ થઈ જશે. ભૂલેચૂકે ધર્મપ્રવેશની ભાવના દેખાડતા દંભીઓને ધર્મક્ષેત્રમાં પ્રવેશવા દેશો મા!
ભાવના અને પાત્રતા
ભાવના અને પાત્રના-બેય-તદ્દન જુદા જ પદાર્થો છે.
પરીક્ષામાં બેસનારા પ્રત્યેક વિદ્યાર્થીની ભાવના હોય છે કે, હું પહેલા નંબરે ઉત્તીર્ણ થાઉં તો બહુ સારું. પણ પહેલા નંબરે ઉત્તીર્ણ થવાની પાત્રતા તો એક જ વિદ્યાર્થીને પ્રાપ્ત થાય છે.
ભાવના કરતાં પાત્રતા જ મહત્ત્વનું વ્યવસ્થાપક બીજ છે. સર્વત્ર ભાવના નથી જોવાતી; પાત્રતા જ જોવાય છે. કેમકે દુનિયામાં સોને પોતપોતાના વર્તુળમાં વ્યવસ્થા જોઈએ.
વડા પ્રધાન થવાની ભાવનાવાળા-અપાત્રને કદી વડા પ્રધાનની ખુરશીએ બેસાડાય ?
દૂધ પીવાની ભાવનાવાળા સંગ્રહણીના દર્દીને-અપાત્રને-માતા દૂધ દે ખરી?