________________
૧૨૬
નહિ એસો જનમ બાર-બાર
મળી જાય. વસ્તુપાળો અને કુમારપાળોની આદર્શકથાઓ એની આંખે ચડી જાય. અને ઝટ જીવન પરિવર્તન થવા લાગે. આ શક્યતાની દૃષ્ટિએ આપણે જેને નાસ્તિકને પણ મહાન કહી શકીએ.
શાલિભદ્રજી, ધન્નાજી, સુદર્શન શેઠ, વિજય શેઠ, સુલસા, દમયંતી વગેરે આદર્શોના તારલાઓના ઝૂમખેઝૂમખા જિનશાસનના ગગનમાં ચમકી જ રહ્યા છે. જરાક નજર મિલાવો... પ્રકાશ પથરાશે અંતરમાં; અને ધ્રૂજી ઊઠશે પાપિચ્છમાં પારિષ્ઠ વાસનાઓ.
બાર બાર વર્ષ સુધી રૂપકોશાના મોહપાશમાં ફસાયેલા સ્થૂલભદ્ર, જૈનકુળમાં જન્મ્યા હતા માટે જ એક ધન્ય પળ પામી શક્યા ને ?