________________
નહિ ઐસો જનમ બાર-બાર
આકાશ જેવું કે સાગર જેવું એનું સ્થાન છે. આકાશ સહુનું છે. સાગર બધી નદીઓને સમાવી લે છે. કોણ પામશે આ યાદ્વાદ ધર્મની પરમોચ્ચ વિરાટતાનો તાગ!
આગમોના ટીકા વગેરે અંગો
માનવા જ પડશે. જૈનધર્મના એક સંપ્રદાયે તમામ આગમોને અપ્રામાણિક કહીને અમાન્ય જાહેર કરી દીધા છે! બીજા એક સંપ્રદાયે ૪પમાંથી ૩૨ આગમોને માન્ય તો કર્યા પરંતુ આગમોના મૂળ સૂત્રને જ માન્ય કર્યા - તે આગમોની ચૂર્ણિઓ, ટીકાઓ વગેરેને અપ્રામાણિક જાહેર કર્યા.
આગમોની સંપૂર્ણ પંચાંગીને જો માન્ય કરવામાં ન આવે તો સૂત્રોનો અર્થ શી રીતે સમજી શકાય? એકેકા શબ્દના અનંત અર્થો થાય. તેમાંથી ક્યો અર્થ કયાં બેસાડવો એ વાતનો નિર્ણય ગીતાર્થ સંતોની મહોર-છાપ વિના કોણ કરી શકે?
નમો અરિહંતાણ” મૂળ સૂત્ર છે. એનો અર્થ તો એટલો જ થાય કે શત્રુનો નાશ કરનારાને નમસ્કાર થાઓ.
આટલો જ અર્થ શું આપણને મંજૂર છે? ટીકાનો આધાર લઈને આપણે કહેવું જ પડશે કે રાગદ્વેષરૂપ શત્રુનો નાશ કરનારાને અમારા નમસ્કાર.
જેમને ટીકાઓ માન્ય જ નથી તેઓ જો આવો સત્ય અર્થ કરશે તો તેમાં પ્રમાણ કોનું આપશે?
ચૂર્ણિકાર, ટીકાકાર વગેરે મહર્ષિઓ હતા. સાચા સંતો હતા; મહાતપસ્વીઓ હતા. એમનું સમગ્ર જીવન જિનાજ્ઞાને વફાદાર હતું. આવા મહાત્માઓની ચૂર્ણિ કે ટીકડા વગેરેને અપ્રામાણિક કહીને અમાન્ય કરાવવી એ કેટલા અંશમાં ઉચિત છે એ તો તેઓ જ જાણે. વળી મૂળ-આગમને જ પ્રમાણભૂત માનતા હો તો પણ પંચાંગીને માન્ય કરવી જ પડશે; કેમ કે એ ભગવતીજીનો પાઠ અંતે તો પંચાંગી માનવાનું ફરમાન કરે છે.