SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ નહિ ઐસો જનમ બાર-બાર આકાશ જેવું કે સાગર જેવું એનું સ્થાન છે. આકાશ સહુનું છે. સાગર બધી નદીઓને સમાવી લે છે. કોણ પામશે આ યાદ્વાદ ધર્મની પરમોચ્ચ વિરાટતાનો તાગ! આગમોના ટીકા વગેરે અંગો માનવા જ પડશે. જૈનધર્મના એક સંપ્રદાયે તમામ આગમોને અપ્રામાણિક કહીને અમાન્ય જાહેર કરી દીધા છે! બીજા એક સંપ્રદાયે ૪પમાંથી ૩૨ આગમોને માન્ય તો કર્યા પરંતુ આગમોના મૂળ સૂત્રને જ માન્ય કર્યા - તે આગમોની ચૂર્ણિઓ, ટીકાઓ વગેરેને અપ્રામાણિક જાહેર કર્યા. આગમોની સંપૂર્ણ પંચાંગીને જો માન્ય કરવામાં ન આવે તો સૂત્રોનો અર્થ શી રીતે સમજી શકાય? એકેકા શબ્દના અનંત અર્થો થાય. તેમાંથી ક્યો અર્થ કયાં બેસાડવો એ વાતનો નિર્ણય ગીતાર્થ સંતોની મહોર-છાપ વિના કોણ કરી શકે? નમો અરિહંતાણ” મૂળ સૂત્ર છે. એનો અર્થ તો એટલો જ થાય કે શત્રુનો નાશ કરનારાને નમસ્કાર થાઓ. આટલો જ અર્થ શું આપણને મંજૂર છે? ટીકાનો આધાર લઈને આપણે કહેવું જ પડશે કે રાગદ્વેષરૂપ શત્રુનો નાશ કરનારાને અમારા નમસ્કાર. જેમને ટીકાઓ માન્ય જ નથી તેઓ જો આવો સત્ય અર્થ કરશે તો તેમાં પ્રમાણ કોનું આપશે? ચૂર્ણિકાર, ટીકાકાર વગેરે મહર્ષિઓ હતા. સાચા સંતો હતા; મહાતપસ્વીઓ હતા. એમનું સમગ્ર જીવન જિનાજ્ઞાને વફાદાર હતું. આવા મહાત્માઓની ચૂર્ણિ કે ટીકડા વગેરેને અપ્રામાણિક કહીને અમાન્ય કરાવવી એ કેટલા અંશમાં ઉચિત છે એ તો તેઓ જ જાણે. વળી મૂળ-આગમને જ પ્રમાણભૂત માનતા હો તો પણ પંચાંગીને માન્ય કરવી જ પડશે; કેમ કે એ ભગવતીજીનો પાઠ અંતે તો પંચાંગી માનવાનું ફરમાન કરે છે.
SR No.008915
Book TitleNahi Aiso Janam Bar Bar
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2009
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size809 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy