________________
મનને સલાગણીથી વાસિત કરતા જ રહો
સહારો કોનો ? પુણ્યનો ? કે ધર્મનો ?
આપણું સંપૂર્ણ સંયમજીવન આજે કોના સહારે ચાલી રહ્યું છે? પુણ્યના સહારે ? કે ધર્મના
સહારે?
નદીના પ્રવાહમાં વહેતું ઘાસનું તલખણું આખરે તો સાગરમાં ભલે જઈ પહોંચતું હોય પરંતુ લાગણીના પ્રવાહમાં વહેતું મન કાયમ માટે સારી જગાએ જ પહોંચતું હોય છે એવું નથી. એ ઉપાસનાના પાત્ર સુધી પહોંચીને સ્વયે ઉપાસ્ય પણ બની જતું હોય છે તો વાસનાના પાત્ર આગળ અટકી જઈને ગંદું પણ બની જતું હોય છે. આ હિસાબે જ લાગણીના પ્રવાહમાં મનને વહેતું રાખતા , પહેલાં એની દિશા આપણે બરાબર સમજી લેવાની છે જરૂર છે. યાદ રાખજો, આકાશ જેમ દિવસ કે રાત વિના રહી શકતું જ નથી તેમ મન પણ સારી કે, નરસી લાગણીવિના રહી શકતું જ નથી. જ્યારે મનની આ જ સ્થિતિ છે ત્યારે એને સ લાગણીથી જ વાસિત કરતા રહેવાની સાવધગીરી આપણે દાખવવી જ રહી !
પુણ્યના સહારે એટલે ? અનુકૂળતાઓના સહારે અને ધર્મના સહારે એટલે ? સગુણોના સહારે. સવૃતિના સહારે. સમ્પ્રવૃતિઓના સહારે ! ખૂબ ગંભીરતાથી આત્મનિરીક્ષણ કરવાની આપણે જરૂર છે. સંયમજીવનમાં અનુભવાતા આનંદનો અને પ્રસન્નતાનો સ્રોત જો અનુકૂળતાઓ જ હોવાનું અનુભવાતું હોય તો સમજી રાખવું કે આ આનંદ ક્ષણજીવી જ રહેવાનો છે. કારણ ? અનુકૂળતાઓ
આપતું પુણ્ય ક્યાં દીર્ઘજીવી હોય છે?
૯૮