SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ મનને નબળું ન પાડીએ, કેળવી દઈએ પરલોકમાં સાથે, આત્મીય સંબંધ અનાદિકાળના ગલત અભ્યાસ દ્વારા બળવાન બની ગયેલ મનને નબળું બનાવી દઈને, વિષયકષાયના સેવનથી નબળા પડી ગયેલ આત્માને આપણે બળવાન બનાવી શકવાના નથી એ વાત આપણે સુપેરે સમજી રાખવાની છે. તો કરવાનું છે શું? આ જ કે મનને નબળું પાડી દેવાને બદલે મનને કેળવી દેવાની બાબતમાં આપણે આગળ વધતા રહેવાનું છે. કારણ કે મન વિના જેમ સંસાર નથી તેમ મન વિના મોક્ષ પણ નથી. સાધનને નબળું પાડી દઈને સાધ્ય સુધી નહીં પહોંચી શકાય. સાધનને કેળવીને જ આપણે સાધ્યને આંબી શકશું. કયો સંબંધ પરલોકમાં આપણી સાથે આવવાનો ? ગુરુદેવ સાથેનો આપણો શિષ્ય તરીકેનો સંબંધ ? સહવર્તી મુનિ ભગવંતો : સાથેનો આપણે સહવર્તી તરીકેનો સંબંધ? પ્રભુ સાથેનો આપણો ભક્ત તરીકેનો સંબંધ? આ તમામ પ્રશ્નોનો એક જ જવાબ છે. જેની પણ સાથે આપણો આત્મીય સંબંધ હશે એ સંબંધ જ આપણને પરલોકમાં જવાબ આપવાનો છે. કંડરિક મુનિવરે આત્મીય સંબંધ કેળવ્યો હતો ભોજનનાં અનુકૂળ દ્રવ્યો સાથે ! સાતમી નરકમાં એ સંબંધ એમને લઈ ગયો છે. સાવધાન !
SR No.008913
Book TitleMare Mitra Banvu che
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy