________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાગ
વિવેચન : “મારી પ્રિયતમા હવે એકમાત્ર સમતા છે! હું હવે એને જ વફાદાર રહીશ. અવશ્ય એને દગો નહીં દઉં... આજદિન સુધી હું એને બેવફા નીવડ્યો... હું એ પતિવ્રતા સુશીલ સ્ત્રીને છોડી મમતાના વેશ્યાવાડામાં ભટક્યો. ખૂબ.. ભટક્યો. મમતા...સ્પૃહા..કુમતિ... વગેરે વેશ્યાઓની સાથે દિવસોના દિવસો વિતાવ્યા... મહિનાના મહિના વિતાવ્યા. વર્ષોનાં વર્ષો વિતાવ્યાં... મોહમદિરાના નામ પર જામ ભરી-ભરીને તે વેશ્યાઓએ મને પાયા...હું મૂચ્છિત... બેહોશ બની ગયો... તે બાહ્યપ્રેમી વેશ્યાઓએ મને લૂંટી લીધો.. મારાં તન...મન...ધન ચૂસી લીધાં.. હું મોહમદિરાના નશામાંથી જાગ્યો. મેં એ વેશ્યાઓ પાસે જવા પગ ઉપાડ્યા... ત્યાં તો મારા પર દંડા લઈને એની દાસીઓ તૂટી પડી. મને મારી-ઝૂડી બહાર કાઢી મૂક્યો.. હાય, તોયે મારા હૃદયમાંથી એ વેશ્યાઓ ન ભુલાઈ. પુનઃ હું તન-મન...ધન ઠીક ઠીક થતાં એમના દ્વારે પહોંચ્યો. તેમણે મને સત્કાર્યો.. પરંતુ પુનઃ એ મોહમદિરાના માદક પ્યાલા...પુનઃ મૂર્છા...પુનઃ દંડા..
બસ, ઘણું થઈ ગયું. હવે મેં એ મમતા વગેરે વેશ્યાઓને તિલાંજલિ આપી દીધી છે...સમતાને જ મારી પ્રિયતમા કરી છે. તેના સહવાસમાં મને શાંતિ છે, સુખ છે, પ્રસન્નતા છે.
જગતનાં સગાં-સ્નેહીઓને પણ મેં જોઈ લીધાં... અનુભવી લીધાં...ક્ષણમાં રોષ ને ક્ષણમાં તોષ! કેવળ સ્વાર્થની જ સાધના.. સર્ષ એ સગાં-સ્નેહીઓથી.. તો મારાં સગાં-સ્નેહી એમને બનાવ્યાં છે કે જેઓ કદી વૈષયિક રોષ-તોષ કરતાં નથી! તેમની પાસે તો છે કેવળ સર્વ જીવો પ્રત્યે મૈત્રી અને કરુણા! તે છે નિગ્રંથ સાધુપુરુષ. એ જ હવે મારાં સગાં છે...નેહી છે.'
આ પ્રમાણે બાહ્ય પરિવારનો ત્યાગ કરી આત્મા ઔદયિક ભાવોનો ત્યાગી બને છે અને ક્ષાયોપશમિક ભાવોને પ્રાપ્ત કરનારો બને છે. ઔદયિક ભાવોમાં રમણતા એનું નામ સંસાર... જ્યાં સુધી એ રમણતાનો વાસ્તવિક ત્યાગ ન કરવામાં આવે ત્યાં સુધી સંસારત્યાગી ન બની શકાય.
धर्मास्त्याज्याः सुसंगोत्थाः क्षायोपशमिका अपि ।
प्राप्य चन्दनगन्धाभं धर्मसंन्यासमुत्तमम् ।।४।।६० ।। અર્થ : ચન્દનની ગંધસમાન શ્રેષ્ઠ ધર્મસંન્યાસ પ્રાપ્ત કરીને, સત્સંગથી ઉત્પન્ન થયેલા અને ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલા પણ ધર્મો તજવા યોગ્ય છે. વિવેચન : સત્સમાગમથી “ક્ષાયપશામિક ધર્મો આત્મામાં પ્રગટ થાય
For Private And Personal Use Only