________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાગ
ઉ૫
-
-
-
-
-
-
-
संयतात्मा श्रये शुद्धोपयोगं पितरं निजम् ।
ધૃતિમખ્યાં ચ પિતા તેમાં વિનતં ધ્રુવમ્ II TIધ૭TI અર્થ : સંયમને અભિમુખ થયેલો હું શુદ્ધ-ઉપયોગરૂપ પોતાના પિતાનો અને આત્મરતિરૂ૫ માતાનો આશ્રય કરું છું. હે માતાપિતા, મને અવશ્ય છોડો.
વિવેચન : એક ઉત્તમ સ્થાનને પ્રાપ્ત કરવા માટે પૂર્વના સ્થાનનો ત્યાગ કરવો પડે છે. લોકોત્તર માતાપિતાની અ-ભૌતિક વાત્સલ્યભરી ગોદમાં ખેલવા માટે, લૌકિક માતાપિતાનો ત્યાગ કર્યા વિના કેમ ચાલે? હા, એ ત્યાગ દ્વેષથી કે તિરસ્કારથી નથી કરવાનો, પરંતુ લોકોત્તર માતાપિતા પ્રત્યેના તીવ્ર આકર્ષણના કારણે એમનો ત્યાગ કરવાનો છે.. આવો, આપણે એ મમતાભર્યા માતાપિતાને વિનવીએ. આપણને તેમના બંધનમાંથી મુક્ત કરવા, તેમનાં ચરણોમાં પડી પ્રાર્થના કરીએ :
હે માતા અને પિતા! કબૂલ કરીએ છીએ કે આપનો અમારા પર સ્નેહ છે. પરંતુ લાચાર છીએ. અમે આપના સ્નેહનો પ્રત્યુત્તર સ્નેહથી આપી શકીએ એમ નથી... અમારા હૃદયગિરિમાંથી સ્નેહ મમતાનું ઝરણું પરમ પિતા... એવા “શુદ્ધ આત્મજ્ઞાન' તરફ વળી ગયું છે... અમારો આનંદ આત્મરતિ-માતાના દર્શનમાં... તેના ઉત્સંગમાં જ સમાયેલો છે... આ માતાપિતા પાસે જવા અમારું હૃદય તલસી રહ્યું છે. હવે એમની સન્મુખ જ મન, વચન અને કાયાના યોગો કામ કરી રહ્યા છે. એ પરમ માતાપિતાની પાસે જવા માટે અમને અનુજ્ઞા આપો.'
શુદ્ધ આત્મજ્ઞાન’ એ પિતા છે અને “આત્મરતિ એ માતા છે. આ માતાપિતાનું જ સાચું શરણ લેવાનું છે. આ માતાપિતા પ્રત્યે જ રાગ..સ્નેહમમત્વ...કર્યા કામનાં છે. માતાપિતા કરવાં એટલે શું? માત્ર માન્યતા નહીં ચાલે. દિનરાત એ માતાપિતાની સેવા-ઉપાસના અને ભક્તિમાં લાગ્યા રહેવાનું છે. એ બંનેને વફાદાર રહેવાનું છે અર્થાત્, શુદ્ધ આત્મજ્ઞાનને છોડીને અશુદ્ધ અનાત્મજ્ઞાનની ગોદમાં ભરાઈ બેસવાની બૂરી આદત છોડવાની છે. આત્મરતિ...આત્માનંદ.. જ્ઞાનરતિ...આ મહામાતાને ત્યજીને પગલરતિવેશ્યાનો સંગ કરવાની કુટેવને છોડ્યે જ છૂટકો છે.
युष्माकं संगमोऽनादिर्बन्धवोऽनियतात्मनाम् ।
ध्रुवैकल्पान् शीलादिबन्धूनित्यधुनाश्रये ।।२।।५८ ।। અર્થ : હે બંધુઓ, અનિશ્ચિત આત્મપર્યાયવાળા એવા તમારો સંગમ પ્રવાહથી
For Private And Personal Use Only