________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
િશ )
જ્ઞાનીને શાંતિ જ હોય.
અ-મોહી એવા જ્ઞાની આત્માને નથી હોતા વિકારો કે નથી હોતા વિકલ્પો. આત્માની સ્વભાવદશામાં જ ઝાઝો સમય લીન રહેનારા એ આત્માઓને જ્ઞાનનું સાચું ફળ મળી ગયું હોય છે.
કર્મજન્ય કોઈ વિષમતા જ્ઞાનીની નજરે ચઢે જ નહિ, સર્વ આત્માઓ બ્રહ્મરૂપે જ દેખાય. આવા આત્માઓ નિરંતર શમરસનાં અમૃતપાન કરી કૃતાર્થ બનતા હોય છે.
આવો, શમ અને પ્રશમનું સ્વરૂપ અને એના પ્રભાવો તો જાણો! જીવનની એક નવી દિશા ખુલ્લી થશે.
-
--
==
=
=
,
For Private And Personal Use Only