________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જ્ઞાન
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમોહી બન્યા એટલે જ્ઞાની બન્યા. આત્મા પરથી મોહનું આવરણ દૂર થાય એટલે જ્ઞાનનો પ્રકાશ પ્રગટે. અ-મોહીનું જ્ઞાન ભલે એક જ શાસ્ત્રનું હોય, એક જ શ્લોક કે એક જ શબ્દનું હોય, એ એને નિર્વાણ પમાડનારું બની જાય છે.
આત્મસ્વભાવ તરફ દૃષ્ટિ ખોલી આપે એ જ્ઞાનને જ્ઞાન કહ્યું છે. વાદવિવાદ અને વિસંવાદ જગાડનારા જ્ઞાનને જ્ઞાન કહ્યું નથી. અમોહી આત્મા વાદવિવાદથી દૂર જ રહેતો હોય છે.
જો જો હો, થોડા પણ અ-મોહી બનીને આ અષ્ટક વાંચજો! તો જ આ રહસ્યજ્ઞાનનું રહસ્ય સમજાશે.
For Private And Personal Use Only