________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૭
જ્ઞાનસાર દ્રવ્ય-નિક્ષેપની બીજી પરિભાષા આ રીતે કરવામાં આવી છે : “મજુવોનો i' - અનુપયોગ એટલે ભાવશૂન્યતા..બોધશૂન્યતા...ઉપયોગશૂન્યતા. જે ક્રિયામાં ભાવ, બોધ, ઉપયોગ ન હોય તે ક્રિયાને દ્રવ્યક્રિયા કહેવામાં આવે છે.
લોકોત્તર દ્રવ્ય-આવશ્યકની ચર્ચા કરતાં “અનુયોગદ્વાર સૂત્ર' માં કહ્યું છે કે શ્રમણ ગુણરહિત અને જિનાજ્ઞારહિત બની સ્વચ્છંદતાથી વિહરી, ઉભયકાળ પ્રતિક્રમણ માટે ઊભા થાય તે સાધુવેશધારીનું પ્રતિક્રમણ, તે લોકોત્તર દ્રવ્યઆવશ્યક છે.'
દ્રવ્ય-નિક્ષેપની વિસ્તૃત ચર્ચા માટે “અનુયોગદ્વાર સૂત્ર'નું અધ્યયન કરવાની જરૂર છે.
ભાવ-નિક્ષેપ : તીર્થકર ભગવંતને લઈને જ્યાં ભાવ-નિક્ષેપનો વિચાર કરવામાં આવ્યો છે, ત્યાં કહ્યું છે : “સમવસરણા માવનારા' - સમવસરણમાં બિરાજેલા...ધર્મદેશના આપતા તીર્થકર ભગવંત ભાવ તીર્થકર છે.
શ્રી અનુયોગદ્વાર સૂત્રમાં કહ્યું છે વવવક્ષા-પરિણામ ભવનું ભાવ:” -- વક્તાને અભિપ્રેત પરિણામનું થવું (જાગ્રત થવું) તે ભાવ કહેવાય.
ભાવથી પ્રતિક્રમણાદિ ક્રિયા બે પ્રકારે હોય : (૧) આગમથી, (૨) નોઆગમથી.
પ્રતિક્રમણનાં સૂત્રોના અર્થનો ઉપયોગ તે ભાવ પ્રતિક્રમણ કહેવાય. એવી રીતે જે ક્રિયા કરવાની હોય તે ક્રિયાના અર્થનો ઉપયોગ હોય તો તે ક્રિયા ભાવક્રિયા કહેવાય. નોઆગમથી ભાવક્રિયા ત્રણ પ્રકારે છે : ૧. લૌકિક, ૨. કુમારચનિક, અને ૩. લોકોત્તર. ૧. લૌકિક : લૌકિકશાસ્ત્રોના શ્રવણમાં ઉપયોગ. ૨. કુબાવચનિક : હોમ, જપ..યાગાદિ ક્રિયાઓમાં ઉપયોગ. ૩. લોકોત્તર : તચ્ચિત્ત...આદિ આઠ વિશેષતાઓથી યુક્ત ધર્મક્રિયા
(પ્રતિક્રમણાદિ). સારાંશ એ છે કે પ્રસ્તુત ક્રિયા છોડીને બીજે મન-વચન-કાયાનો ઉપયોગ નહીં લઈ જતાં જે ક્રિયા કરવામાં આવે તે ભાવક્રિયા.
For Private And Personal Use Only