________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાર નિક્ષેપ
૪૭૫ અનાકાર જે કરાય તે સ્થાપના કહેવાય.
ભાવ-ઇન્દ્રાદિની સાથે સમાનતા હોય તે સાકાર સ્થાપના.
ભાવ-ઇન્દ્રદિની સાથે અસમાનતા હોય તે અનાકાર સ્થાપના. લાકડાની, પથ્થરની, હાથીદાંતની પૂતળીઓ, પ્રતિમાઓ વગેરે સાકાર સ્થાપના કહેવાય. આના બે પ્રકાર હોય : (૧) શાશ્વત્ અને (૨) અશાશ્વતું. દેવલોક વગેરેમાં શાશ્વત્ જિનપ્રતિમાઓ હોય છે, જ્યારે અન્ય પ્રતિમાઓ વગેરે અશાશ્વતું પણ હોય છે.
શંખ વગેરેમાં જે સ્થાપના કરાય છે તે અનાકાર સ્થાપના છે. શાશ્વતુ જિનપ્રતિમાઓમાં “સ્થાપના” શબ્દની વ્યુત્પત્તિ “સ્થાવતે તિ સ્થાપના' ન ઘટે, કારણ કે તે શાશ્વત્ છે. શાશ્વતું કોઈ સ્થાપી ન શકે. માટે ત્યાં “નર્ટફિક્કો તિરીતિ” સ્થાપના “અરિહંતાદિ રૂપ છે. રહે છે તે સ્થાપના” એવો વ્યુત્પત્તિ-અર્થ કરવો જોઈએ.
નામ-નિક્ષેપ અને સ્થાપના-નિક્ષેપમાં આ રીતે ઘણું અંતર છે. પરમાત્માની સ્થાપના (પ્રતિમા), દેવોની સ્થાપના, ગુરુવરોની સ્થાપનાના દર્શન-પૂજનથી ઇચ્છિત લાભોની પ્રાપ્તિ પ્રત્યક્ષ દેખાય છે. વળી પ્રતિમાના દર્શનથી વિશિષ્ટ કોટિના ભાવ પણ જાગે છે. દ્રવ્ય-નિક્ષેપ :
१० भूतस्य भाविनो वा भावस्य हि कारणं तु यल्लोके।
तद्रव्यं तत्त्वज्ञैः सचेतनाचेतनं कथितम् ।। જે ચેતન-અચેતન દ્રવ્ય ભૂતકાલીન ભાવનું કારણ હોય કે ભવિષ્યકાલીન ભાવનું કારણ હોય, તે દ્રવ્ય-નિક્ષેપ કહેવાય.
દા.ત., ભૂતકાળમાં વકીલ હોય કે ડૉક્ટર હોય, વર્તમાનમાં વકીલાત ન કરતા હોય કે દવા ન કરતા હોય, છતાં લોકો તેમને વકીલ કે ડોકટર કહે છે. આ દ્રવ્ય નિક્ષેપના વકીલ, ડોક્ટર કહેવાય! એવી જ રીતે, હજુ વકીલાતનું ભણે છે કે મેડિકલ કોલેજમાં ભણે છે, ત્યારથી જ તેને લોકો વકીલ, ડૉક્ટર તરીકે કહે છે, કારણ કે તે ભવિષ્યમાં વકીલ કે ડૉક્ટર બનનાર છે. આ રીતે ભૂતકાલીન પર્યાય અને ભવિષ્યકાલીન પર્યાયનું જે કારણ વર્તમાનમાં હોય તેને દ્રવ્યનિક્ષેપ કહેવાય.
૧૦૮. અનુયોગવાર સૂત્ર
For Private And Personal Use Only