________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૬
જ્ઞાનસાર ભાગે ન્યૂન. ન્યૂન સ્થિતિબંધ કરે છે, પરંતુ અહીં સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ કે ગુણસંક્રમ થતો નથી, કારણ કે તે માટે જોઈતી વિશદ્ધિનો અભાવ હોય છે.
અન્તર્મુહૂર્ત પછી અપૂર્વકરણ કરે છે. અહીં સ્થિતિઘાતાદિ પાંચ થાય. અપૂર્વકરણકાળ સમાપ્ત થયા પછી અનિવૃત્તિકરણ થાય છે, તેમાં સ્થિતિઘાતાદિ પાંચ થાય. તેનો કાળ પણ અંતર્મુહૂર્તનો જ હોય. આ અનિવૃત્તિકરણનો સંખ્યાત ભાગ વીત્યા પછી જ્યારે એક ભાગ બાકી રહે ત્યારે અન્તરકરણ કરે છે. અનન્તાનુબંધી કષાયના એક આવલિકા પ્રમાણે નિકોને મૂકીને ઉપરના નિષકોનું અંતકરણ કરે છે. અંતકરણનાં દલિકોને ત્યાંથી ઉઠાવી ઉઠાવીને બધ્યમાન અન્ય પ્રવૃતિઓમાં નાંખે છે; અને નીચેની સ્થિતિ કે જે એક આવલિકા પ્રમાણ હોય છે, તેના દલિકને ભોગવાતી અન્ય પ્રકૃતિમાં સ્તિબુક સંક્રમ” વડે નાખીને ભોગવીને ક્ષય કરે છે.
અન્તકરણના બીજા સમયે અંતકરણની ઉપરની સ્થિતિવાળા દલિકોનો ઉપશમ કરે છે. પહેલા સમયે થોડાં દલિકોને ઉપશમાવે, બીજા સમયે અસંખ્યાતગુણત્રીના સમયે તેથી અસંખ્યાતગુણ. આ રીતે પ્રતિસમય અસંખ્યાતગુણ-અસંખ્યાતગુણ દલિકોનો ઉપશમ કરે. અન્તર્મુહૂર્ત પૂર્ણ થતાં સંપૂર્ણ અનન્તાનુબંધી કષાયનો ઉપશમ થાય.
ઉપશમની વ્યાખ્યા : ધૂળ ઉપર પાણી છાંટીને ઘણ વડે ફૂટવાથી જેમ જામી જાય, તેમ કર્મો ઉપર વિશુદ્ધિરૂપ પાણી છાંટીને અનિવૃત્તિકરણરૂપ ઘણ વડે કૂટવાથી જામી જાય છે! તે ઉપશમ થયા પછી ઉદય, ઉદીરણા, નિધત્તિ, નિકાચના વગેરે કરણો લાગી શકતાં નથી, અર્થાત્ ઉપશમ પામેલાં કર્મોનો ઉદય.... ઉદીરણા વગેરે ન થાય.
અન્ય મત :
કેટલાક આચાર્યો અનન્તાનુબંધી કષાયની ઉપશમના માનતા નથી, પરંતુ વિસંયોજના કે ક્ષપણા જ માને છે.
દર્શનત્રિકની ઉપશમના :
લાયોપથમિક સમ્યગ્દષ્ટિ આત્મા (સંયમમાં વર્તતો) એક અન્તર્મુહૂર્તકાળમાં દર્શનત્રિક (સમકિત મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય) ની ઉપશમના કરે. ઉપશમના કરતો-પૂર્વોક્ત ત્રણ કરણ કરતો વધતી વિશુદ્ધિવાળો
For Private And Personal Use Only