________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૪
જ્ઞાનસાર તેમાંથી ઔદારિક શરીર બને છે. “વૈક્રિય વર્ગણાના પગલોમાંથી વૈક્રિય શરીર બને છે. આહારક વર્ગણાના પુદ્ગલમાંથી “આહારક શરીર' બને છે. તૈજસ વર્ગણાના પુદ્ગલોમાંથી તૈજસ શરીર’ બને છે અને કાશ્મણ વર્ગણાના પુદ્ગલોમાંથી કાર્પણ શરીર' બને છે. જેમાં માટીના પુદ્ગલોમાંથી માટીનો ઘડો બને છે, સોનાના પુલોમાંથી સોનાનો ઘડો બને છે, ચાંદીના પુદ્ગલોમાંથી ચાંદીનો ઘડો બને છે.
કોને કયું શરીર હોય?? તિર્યંચ-મનુષ્યને ઔદારિક શરીર હોય. દેવ અને નારકને વક્રિય શરીર હોય. જ વૈક્રિય લબ્ધિવાળા તિર્યંચ અને મનુષ્યને પણ વૈક્રિય શરીર હોય.
ચૌદ પૂર્વનું જ્ઞાન ધરાવતા મુનિ આહારક શરીર બનાવી શકે. સર્વ ગતિના સર્વ જીવોને તૈજસ શરીર અને કાશ્મણ શરીર હોય.
શરીરોનું પ્રયોજન : જ ઔદારિક શરીરથી સુખદુઃખ અનુભવવાં, ચારિત્રધર્મનું પાલન કરવું, કેવળજ્ઞાન પ્રાપ્ત કરવું અને નિર્વાણ પ્રાપ્ત કરવાનું કાર્ય થાય છે. ' વૈક્રિય શરીરવાળો જીવ પોતાનાં સ્થૂલ કે સૂમ અનેક રૂપ કરી શકે. શરીરને લાંબુ-ટૂંકું બનાવી શકે. આહારક શરીર ચૌદ પૂર્વધર જ્ઞાની પુરુષ કામ પડે ત્યારે જ બનાવે. આહારક વર્ગણાના પુદ્ગલોને જ્ઞાનબળથી ખેંચીને શરીર બનાવે. તે શરીરના માધ્યમથી તે મહાવિદેહ ક્ષેત્રમાં જાય, ત્યાં તીર્થકર ભગવાન પાસેથી પોતાના સંશયોનું નિરાકરણ કરે. પછી શરીરનું વિસર્જન કરે. તેજસ શરીર ખાધેલા આહારનો પરિપાક કરે. એ શરીરના માધ્યમથી
શાપ આપી શકાય અને અનુગ્રહ કરી શકાય. જ કામણ શરીર દ્વારા જીવ એક ભવમાંથી બીજા ભવમાં ગતિ કરે.
આ પાંચેય શરીરથી આત્માની મુક્તિ થાય ત્યારે આત્મા સિદ્ધ બન્યો કહેવાય. મુક્તિ પામવાનો પુરુષાર્થ દારિક શરીરથી થાય.
For Private And Personal Use Only