________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४४४
જ્ઞાનસાર उवभोज्जमिदिए हिं य इंदिय काया मणो य कम्माणि ।
जं हवदि मुत्तमण्णं तं सव्वं पुग्गलं जाणे ।।२।। ઇન્દ્રિયોના ઉપભોગ્ય વિષયો, પાંચ ઇન્દ્રિયો, ઔદારિકાદિ પાંચ શરીર, મન અને આઠ પ્રકારનાં જ્ઞાનાવરણીયાદિ કર્મ જે કંઈ મૂર્તિ છે, તે સર્વ પુદ્ગલ સમજવું.”
શ્રી તત્ત્વાર્થસૂત્ર’ માં કહ્યું છે : पञ्चविधानि शरीराण्यौदारिकादीनि वाङ्मनःप्राणापानाविति पुद्गलाનામુપpl૨:(સ્વોપજ્ઞ-માણે, 3, . ૧૨).
ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્મણ-આ પાંચ શરીર, વાણી, મન અને શ્વાસોચ્છુવાસ, પુદ્ગલોનો ઉપકાર છે; અર્થાત્ એ પુદ્ગલનિર્મિત છે.
આ પ્રમાણે પંચાસ્તિકાયનું સ્વરૂપ અને તેનું કાર્ય સંક્ષેપમાં બતાવીને હવે પંચાસ્તિકાયની સિદ્ધિ કરવામાં આવે છે.
ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય વિના જીવ અને પુદ્ગલોની ગતિ તથા સ્થિતિ ન થઈ શકે. જો ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય વિના પણ જીવ-પુદ્ગલની ગતિ-સ્થિતિ થઈ શકે તો લોકની જેમ અલોકમાં પણ જીવ-પગલો જવા જોઈએ. અલોક અનંત છે. તેથી લોકમાંથી નીકળીને જીવ-પુદ્ગલો અલોકમાં ચાલ્યા જાય અને એ રીતે લોક જીવશૂન્ય અને પુદ્ગલશુન્ય બની જાય. ન તો એવું દેખાય છે કે ન એવું ઈષ્ટ છે. માટે જીવ-પુગલની ગતિસ્થિતિની ઉપપત્તિ માટે ધર્માસ્તિકાયનું અસ્તિત્વ સિદ્ધિ થાય છે.
જીવાદિ પદાર્થોનો આધાર કોણ? જે “આકાશાસ્તિકાય” ન માનવામાં આવે તો જીવાદિ પદ્યર્થો નિરાધાર બની જાય. ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય જુવાદિના આધાર ન બની શકે. તે બંને તો જીવ-પુદ્ગલની ગતિ-સ્થિતિના નિયામક છે. વળી, બીજાથી સાધ્ય કાર્ય ત્રીજો ન કરી શકે. માટે જીવાદિના આધાર તરીકે આકાશાસ્તિકાયની સિદ્ધિ થાય છે.
દરેક પ્રાણીમાં જ્ઞાનગુણ સ્વસંવેદનસિદ્ધ છે. ગુણી સિવાય ગુણનું અસ્તિત્વ ઘટી ન શકે.
પ્ર, સ્વસંવેદનસિદ્ધ જ્ઞાનગુણનું ગુણી શરીરને માનો તો? ઉ. ગુણને અનુરૂપ ગુણી જોઈએ. જ્ઞાનગુણ અમૂર્ત છે. ચિતૂપ છે. સદૈવ ઇન્દ્રિયવિષયાતીત છે. ગુણી પણ તેને અનુરૂપ હોવો જોઈએ. તે જીવ છે,
For Private And Personal Use Only